Thursday, March 25, 2010

હૂમલો કરતા સ્વબચાવમાં ખેડૂતોએ સિંહની હત્યા કરી.

Monday, Mar 22nd, 2010, 10:31 pm [IST]
danik bhaskar
Devasi Barad

જૂનાગઢ જિલ્લાના બિલખા તાલુકાના ચોરવાડી ગામે સિંહે ખેડૂતો ઉપર હૂંમલો કરતા સ્વબચાવમાં પુખ્યવયના સિંહનું મોત થયું છે. આજે સવારે ગુસ્સે ભરાયેલા સિંહે ચોરવડી ગામે ખેતરમાં કામ કરી રહેલા ગામમાં ઉપ સરપંચ મહેશભાઇ બલદાણીયા ઉપર હુમલો કર્યો હતો.

મહેશભાઇ ઉપર હૂંમલો થતા તેના બચાવમાં ચોરવાડી ગામ આખું ભેગુ થઇ ગયું હતું અને સિંહને ત્યાંથી ખચેડવાનો પ્રય‚ કર્યો હતો. જો કે મોટા ટોળાને જોઇ સિંહ વધારે ગુસ્સે ભરાયો હતો અને બીજા બે ખેડૂત ઉપર હુંમલો કર્યો હતો.

આ સમયે સ્વબચાવમાં ખેડૂતે પોતાની પાસે રહેલી કુહાડી સામે ધરતા સિંહના ગળાના ભાગે ઇજા થઇ હતા. ગળામાં ઉપર ઉપરી ત્રણ ભાગ વાગતા સિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં વન વિભાગે ઘાયલ ખેડૂતોની ધડપકડ કરી છે. આ ત્રણે ખેડૂત અત્યારે હોસ્પીટલમાં છે.


(તમામ તસવીરો-મેહુલ ચોટલિયા)
source: http://www.divyabhaskar.co.in/2010/03/22/100322142833_attack_of_lions.html

No comments: