Tuesday, March 9, 2010

તાલાળામાંથી ત્રણ, વંથલીમાંથી બે તબક્કે કેરી બજારમાં આવશે.

રાજકોટ, તા.૮ :

બગીચાઓ સાથે સંકળાયેલા ખેડૂતો અને નિષ્ણાંતોએ એવો મત પણ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે કેસર કેરીની સિઝન દર વર્ષના પ્રમાણમાં થોડી લાંબી ચાલશે. તેમજ તબક્કાવાર કેરીનો પાક બજારમાં આવશે.

અનુકુળ વાતાવરણ તથા યોગ્ય હવામાનને કારણે આ વર્ષે આંબા પર વ્યવસ્થિત રીતે મોર બેઠા છે. જો કે વચ્ચે થોડા સમય માટે કમોસમી વરસાદને કારણે થોડી નૂકશાની થઈ હોવા છતા આંબા પરથી મોર ખર્યા નથી. તાલાળા વિસ્તારનાં ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યારે આંબા પર ત્રણ પ્રકારના ફળ બંધાયેલા છે. નાના, થોડા મોટા અને તૈયાર એમ ત્રણ પ્રકારના ફળો તબક્કાવાર રીતે બજારમાં આવશે. તેમજ ત્રણ માસ સુધી લાંબી સિઝન ચાલશે. માટે બજારમાં ફળોનો ભરાવો થવાની ઓછી શક્યતા છે. વંથલી પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અહીંના આંબાઓ પરથી બે તબક્કામાં ફળ બજારમાં આવશે. મે અને જૂન માસમાં બજારમાં કેરી આવી ગયા બાદ વધીને કદાચ જૂલાઈ માસની પ તારીખ સુધી વંથલી પંથકની કેરી બજારમાં આવશે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166262

No comments: