Wednesday, March 31, 2010

સિંહની પ્રથમ વસતિ ગણતરી ૧૯૫૦માં થઈ’તી.

Wednesday, Mar 31st, 2010, 3:12 am [IST]
Jitendra Mandaviya, Talala

ભારતને આઝાદી મળ્યા પૂર્વે ૧૯૩૬માં સિંહોની ગણતરી દરમિયાન ગીર જંગલમાં ૨૮૭ સિંહો વસવાટ કરતા હોવાની નોંધ થઇ હતી. આઝાદી બાદ થયેલી ગણતરીમાં ૨૧૯ સિંહો નોંધાતા સિંહોની સંખ્યામાં ૨૪ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

બાદમાં સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવા ૧૯૭૪માં અમલમાં આવેલા વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ બાદ સિંહોની સંખ્યા બમણી થઇ હતી. આઝાદી પૂર્વે શિકાર થતો હોવા છતાં જેટલી સંખ્યા હતી તે આઝાદી બાદ ૧૯૬૮માં ઘટી જતાં ૧૯૭૪માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

આઝાદી પહેલા રાજાશાહી અને અંગ્રેજૉનાં શાસન દરમિયાન ગીર જંગલમાં સિંહોનાં શિકાર થતા રહેતા હોવાથી સિંહોની સંખ્યા ઘટે એ સ્વાભાવિક છે. પરંતુ ૧૯૬૩માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં થોડો વધારો થયો હતો. પણ ૧૯૬૮માં હાથ ધરાયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો ઘટાડો થવા સાથે ૭૩ સિંહો ઓછા થયા હતા.

છ વર્ષ બાદ ૧૯૭૪માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં માત્ર દોઢ ટકા એટલે માત્ર ત્રણ સિંહોનો વધારો થતા સફાળી જાગેલી કેન્દ્ર સરકારે સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૯૭૪માં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ બનાવી અમલમાં મુકતા ૧૯૭૪ થી ૨૦૦૫ સુધીમાં સિંહોની સંખ્યામાં દર પાંચ વર્ષ નોંધપાત્ર વધારો થવા સાથે ગીર જંગલમાં સિંહોની સંખ્યા બમણી થઇ ગઇ.

આઝાદી પહેલા થયેલી ગણતરીમાં જે સિંહોની સંખ્યામાં દર પાંચ વર્ષે નોંધપાત્ર વધારો થવા સાથે ગીર જંગલમાં સિંહોની સંખ્યા બમણી થઇ ગઇ. આઝાદી પહેલા થયેલી ગણતરીમાં જે સિંહોની સંખ્યા હતી તે આઝાદી બાદ થયેલી ગણતરીમાં ઘટાડો નોંધાયો તેનાથી વધુ ઘટાડો ૧૯૬૮માં સિંહોનો ઘટાડો જૉવા મળ્યો હતો. આથી કેન્દ્ર સરકારે સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવા ૧૯૭૪માં કાયદો અમલમાં મુકયો. ગીર જંગલ તથા અભ્યારણ્યમાં સિંહો સાથે વસવાટ કરતાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન વધારવા સાથે સંરક્ષણ પુરૂં પડાતા સિંહોની સંખ્યામાં ક્રમશ: વધારો થતો ગયો. વન વિભાગે શિકારીઓ દ્વારા થતાં શિકાર પર રોક તેમજ ખેડૂતો દ્વારા શેઢે બંધાતા ફેન્સીંગ વાયર દૂર કરવા કાર્યવાહી હાથ ધરતાં સિંહોનાં મોતનાં બનાવો ઓછા થવા લાગ્યા હતા. તેના ફલ સ્વરૂપે દર પાંચ વર્ષે સતત વધારો થવા સાથે ૨૦૦૫માં થયેલી છેલ્લી ગણતરીમાં સિંહોની સંખ્યા બમણી એટલે ૩૫૯ની થઇ ગઇ. ત્યારે આગામી એપ્રિલ માસમાં થનારી ગણતરીમાં સિંહોની સંખ્યા ૪૦૦થી વધુ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/lion-census.html

No comments: