Monday, July 29, 2013

સોરઠમાં અષાઢી જલાભિષેક : ૧ થી ૧૦ ઈંચ.

Bhaskar News, Junagadh   |  Jul 25, 2013, 01:24AM ISTતાલાલા પંથકમાં મેઘમહેરથી નદી-નાળા છલકાયા, વેરાવળમાં ૩ ઈંચ, સુત્રાપાડામાં અઢી, કોડીનારમાં બે ઈંચ
સોરઠમાં કેમ્પ કરી રહેલા મેઘરાજાએ આજે દરિયાપટ્ટી અને ગીર વિસ્તારોનો રાઉન્ડ લીધો હોય તેમ વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઊનામાં એક થી ચાર ઈંચ અને ગીર વિસ્તારમાં એકથી અનરાધાર ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન ઉપર પણ અસર સર્જા‍ઈ હતી. જયારે કેટલાક શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
તાલાલા : તાલાલા પંથકમાં આજે સવારથી સાંજ સુધી અવિરત મેઘમહેર ચાલુ રહેતા વધુ પાંચ ઈંચ વરસાદ પડયો હતો. શહેર ઉપરાંત વીરપુર, ધાવા, બોરવાવ, રમળેચી, જેપુર, ગલીયાવડ, ઘુંસીયા, પીપળવા, ગુંદરણ સહિ‌તનાં ગામોમાં ભારે મેઘ મહેર થઈ હતી.

ઊનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
નગડીયામાં સાત, જુડવડલીમાં પાંચ, ખીલાવડમાં ચાર, જરગલીમાં ત્રણ ઈંચ
 
ઊના પંથકમાં મેઘરાજા આજે મનમૂકીને વરસર્યા હોય તેમ એક થી સાત ઈંચ વરસાદથી આ પંથકની ધરતી તૃપ્ત બની હતી. જયારે પંથકનાં નગડીયામાં સાત ઈર઼્ચ વરસાદથી જળબંબોળ જેવી સ્થિતિ સર્જા‍ઈ હતી.
 
ઊના શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ધીમીધારે વરસાદ વરસતો હોય અને મેઘરાજા મનમૂકીને વરસે તેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી. ત્યાં આજે સવારથી જ ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. પરંતુ બપોરનાં ૧ વાગ્યાની આસપાસ વરસાદે જોર પકડયું હતું. અને શહેરમાં સાંજે સાત વાગ્યા સુધીમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સીઝનમાં બીજી વખત ધોધમાર વરસાદ વરસતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ગીરગઢડા રોડ પર માધવબાગ નજીક આનંદબજાર વિસ્તાર સહિ‌તનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 
 
ઊનાનાં ગ્રામ્ય વિસ્તારમાં અવિરત મેઘ સવારી ચાલુ હતી. ગીર જંગલ વિસ્તારમાં આવેલા રાવલ ડેમમાં બપોરથી સાંજ સુધીમાં છ કલાકમાં છ ઈંચ વરસાદથી ડેમમાં એક મીટર જેટલુ પાણી આવ્યું હતું. રાવલ ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. તેમજ મચ્છુન્દ્રી ડેમ પર પણ એક ઇંચ વરસાદ થયો હોઇ ગીર જંગલ વિસ્તારમાં વ્યાપક વરસાદને પગલે તાલુકાનાં નગડીયા ગામનાં સરપંચ નરેશભાઇએ દિવ્ય ભાસ્કરને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, નગડીયા ગામ સાત ઈંચ જેટલો વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાયા છે જયારે ગામ પાસેથી પસાર થતી શાહી નદીમાં ઘોડાપુર આવતા પુલ પરથી ૩ ફૂટ પાણી પસાર થતું હોઇ ગામ હાલ સંપર્ક વિહોણું થઇ ગયું છે. 
 
એ સિવાય તાલુકાનાં જુડવડલીમાં પાંચ, ખીલાવડમાં ચાર, જરગલીમાં ત્રણ, સનખડા, ગાંગડા, મોટા સમઢીયાળા, કાણકબરડા, સામતેર, સનવાવ, સીમાસી, ધોકડવા, મોઠા, કાણકીયા, આંબાવડ, ગુંદાળા જશાધાર સહિ‌તનાં ગ્રામ્ય વિસ્તારમાં બપોરબાદ ૪ ઇંચ જેટલું પાણી પડયું છે. જયારે ગીરગઢડામાં ૧ થી ૧ાા ઇંચ વરસાદ થયો છે. આમ વ્યાપક વરસાદને પગલે તંત્ર પણ ખડેપગે તૈયારી કરી રહ્યું છે. જયારે ઊનામાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં ચાંચકવડ સુધી પાણી આવી ગયું હોઇ વરૂણદેવ અમિવર્ષા વરસાવે તો મચ્છુન્દ્રી નદીમાં પણ પુર આવે તો ઊના શહેર જળબંબોળ થઇ શકે છે.
 
શાહી અને સાંગાવાડી નદીમાં ઘોડાપૂર
 
જંગલમાંથી પસાર થતી શાહી નદીમાં ઘોડાપુર આવતા નગડીયા ગામ જાણે કે સંપર્ક વિહોણ બન્યું હતું.બાબરીયા નજીક આવેલ ભાખા તેમજ થોરડી ગામમાં પણ પ ઇંચ જેટલો વ્યાપક વરસાદ હોય અને ભાખા ગામની સીમમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં પણ ઘોડાપુર આવતા અવિરત પાણીનો પ્રવાહ વહેતો હતો. આમ લાંબા સમય બાદ નદી નાળામાં પાણી ફરતા હોય લોકોમાં પણ આનંદની લાગણી છવાઇ ગયેલ હતી.

No comments: