Friday, July 12, 2013

ધારગણીમાં સિંહ પરિવારે પાંચ પશુઓનું મારણ કર્યું, ગામમાં ફફડાટ.


Bhaskar News, Amreli | Jul 03, 2013, 02:54AM IST
- એક વાછરડીને ઘાયલ કરી દીધી  

ધારી તાબાના ધારગણી ગામે ગતરાત્રીના એક સિંહ પરિવાર છેક ગામ સુધી આવી ચડયો હતો. આ પરિવારે અહી પાંચ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. આ ઉપરાંત બે પશુઓને ઘાયલ કરી દેતા ગામમા ફફડાટ ફેલાયો હતો. બાદમાં આ સિંહ પરિવારે જંગલ તરફ વાટ પકડી હતી.

ગીર પંથકમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ગતરાત્રીના એક સિંહ પરિવાર ધારગણી ગામમાં આવી ચડયો હતો. બે બચ્ચા, સિંહ અને સિંહણ સહિતના આ પરિવારે ગામના પાદરમાં ત્રણ વાછરડી અને બે બકરાનુ મારણ કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત એક વાછરડીને ઘાયલ કરી દીધી હતી.

આખી રાત આ સિંહ પરિવારે ગામમાં આતંક મચાવ્યો હતો. બાદમાં સવારે આ સિંહ પરિવારે જંગલ તરફ વાટ પકડી હતી. સવારે ગ્રામજનોને મારણની જાણ થતા પશુપાલકોએ વનવિભાગને જાણ કરતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અવારનવાર જંગલમાંથી આ વિસ્તારોમાં વન્યપ્રાણીઓ આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. જેના કારણે પશુપાલકોને નુકશાની વેઠવાનો વારો આવે છે. વનવિભાગ દ્વારા વળતર ચુકવવા તાકિદે કાર્યવાહી કરવામાં આવે તેવુ પશુપાલકો ઇચ્છી રહ્યાં છે.

No comments: