Tuesday, July 16, 2013

ખાંભાનાં વાંકીયામાં કુવામાં ખાબકી જતા દીપડાનું મોત.


Bhaskar News, Dhari | Jul 15, 2013, 00:04AM IST
ગીરપુર્વમાં વન્યપ્રાણીઓની જાણે માઠી દશા બેઠી છે. ગઇકાલે ગઢીયા પાસે એક સિંહનુ ઇનફાઇટમાં મોત થયા બાદ હવે તુલશીશ્યામ રેંજમાં ખાંભા તાલુકાના ભાડ વાંકીયા ગામની સીમમાં કુવામાં પડી જવાથી એક દિપડાનુ મોત થયુ હોવાની ઘટના બની છે. વનવિભાગના સ્ટાફે અહી દોડી જઇ દિપડાના મૃતદેહને કુવામાંથી બહાર કાઢયો હતો. આ દિપડો દિપડીને પામવા મથામણ કરતો હતો ત્યારે કુવામા ખાબકયો હોવાનુ વનવિભાગનુ અનુમાન છે.
 
વનવિભાગને આજે સવારે ખાંભા તાલુકાના ભાડ વાંકીયા ગામના ધીરૂભાઇ ગોકળભાઇ ચોડવડીયાની વાડીમાં આશરે પચાસ ફુટ ઉંડા કુવામાં એક દિપડાનો મૃતદેહ તરતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ધારીની રેસ્કયુ ટીમ સહિ‌તનો સ્ટાફ ભાડ વાંકીયા દોડી ગયો હતો.
 
આ રેસ્કયુ ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ કુવામાંથી દિપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે આ દિપડો દિપડીને પામવા માટે મથી રહ્યો હતો ત્યારે કુવામાં ખાબકયો હોવાનુ અનુમાન છે. કુવા કાંઠેથી અન્ય બે જનાવરના પણ સગડ મયા હતા. ચારથી પાંચ વર્ષની ઉમરના આ દિપડાના નખ ઘસાઇ ગયાના નજરે પડયા હતા. 

No comments: