Tuesday, July 2, 2013

રાજુલા ખાંભા વચ્ચેના રસ્તા પર ૧૪ સાવજોનું ટોળું આવી ચડ્યું.


Bhaskar News, Rajula | Jun 28, 2013, 02:31AM IST - સિંહદર્શનની મજા સાથે જ ગ્રામજનોમાં ફફડાટની લાગણી

રાજુલાથી ખાંભા રોડની વચ્ચે આવેલા પથ્થરમાર વિસ્તારમાં ગત મોડીરાત્રીના એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આંટાફેરા મારી રહ્યું હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવજોની ડણકોથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અહી ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજુલાથી ખાંભા વચ્ચે આવેલા પથ્થરમાર ડુંગરાળ વિસ્તારમાં એક સાથે ૧૪ સાવજો આવી ચડયા હતા. એક સાથે આટલા બધા સાવજોનું ટોળુ આવી ચડતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

હાલમાં રાજુલા પંથકમાં વરસાદ પડી જતા ડુંગરાળ વિસ્તારો લીલાછમ બની ગયા છે. આ વિસ્તારોમાં આમ તો સાવજો જોવા મળે જ છે. પરંતુ ગઇકાલે એક્સાથે ૧૪ સાવજોનું ટોળુ આવી ચડયુ હતુ. સાવજોની ડણકોથી અહીથી પસાર થતા વાહન ચાલકો થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આ વિસ્તારમાં આવી ચડયુ હોય ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભય ફેલાયો છે. અને ખેડુતો વાડી ખેતરોમાં જતા પણ ભય અનુભવી રહ્યાં છે.

No comments: