Friday, July 12, 2013

સૂત્રાપાડાના પ્રાંચીમાં દીપડાએ ગાયનું મારણ કર્યું.

Bhaskar News, Sutrapada | Jul 04, 2013, 01:38AM IST
સૂત્રાપાડા તાલુકાનાં પ્રાંચી ગામે શીતળા માતાજીનાં મંદિરની બાજુમાં બાંધેલી પૂજારીની ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ, સૂત્રાપાડા તાલુકાનાં પ્રાંચી ગામે શીતળા માતાજી મંદિરનાં પુજારી અશોકભાઇ મંદિરની પાસે જ રહે છે.

તેમની ગાય ગતરાત્રે મંદિરની બાજુમાં બાંધી હતી. ત્યારે ગતરાત્રે ૨:૩૦ વાગ્યે એક દીપડો આવી ચઢ્યો હતો. અને ગાયનું મારણ કર્યું હતું. બનાવ અંગે અશોકભાઇએ સૂત્રાપાડાનાં ઇન્ચાર્જ ફોરેસ્ટર ઇકબાલભાઇ, એ. ડી. પરમાર અને વિરાભાઇને કરી હતી. આથી તેઓએ સ્થળ પર આવી પંચનામું કર્યું હતું. દીપડાએ જે ગાયનું મારણ કર્યું એ પ્રસૂતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

No comments: