Tuesday, July 16, 2013

સાવજો પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે.


Bhaksar News, Talala | Jul 14, 2013, 02:03AM IST
- જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ૧૬ હજાર ચો.કિ.મી.માં સાવજોનું વિસ્તરણ,
- એશિયાટિક લાયનના પ્રદેશ એવા ગીર જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અન્ય સ્થળે પહોંચ્યા


ગીર જંગલ ઉપરાંત સિંહોની ટેરીટરી વિસ્તરી રહી હોવાની માહિ‌તી મીડીયા સાથે યોજેલા પરિસંવાદમાં વન વિભાગે આપી હતી. જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં ૧૬ હજાર ચો.કીમીમાં સાવજોનાં વિસ્તરણની પ્રક્રિયાની જાણકારી આપી હતી.

પ્રાદેશિક માહિ‌તી કચેરી રાજકોટ અને સાસણ વન વિભાગનાં સંયુકત ઉપક્રમે સિંહ સંર્વધનમાં મીડીયાની ભૂમિકા અને ઉત્તરદાયિત્વ વિષય પરનો સેમિનાર સાસણમાં યોજાયો હતો. જેમાં સાસણનાં ડીસીએફ ડો.સંદિપકુમારે સિંહનાં વસવાટ વિસ્તાર અંગે અભ્યાસું પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનાં પરિણામ સ્વરૂપ સિંહો પોતાના ગુમાવેલા ક્ષેત્ર પર પુન: આધિપત્ય જમાવી રહયાં છે. હાલ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લામાં કુલ ૧૬ હજાર ચો.કી.મી. માં સિંહોનાં વિસ્તરણની પ્રક્રિયા સતત ચાલુજ છે.

અહીં લોકોનો સિંહ પ્રત્યેનો અતુટ નાતો અને પ્રેમ પણ મહત્વનું પૂરક બળ બન્યાં છે. માણસ અને સિંહોનું સહઅસ્તિત્વ સદિઓથી ચાલ્યું આવતું હોય કયારે માનવોને નુકસાન પહોંચાડયું નથી કે તેની એ પ્રકૃતિ પણ નથી ત્યારે સિંહોની સાથે કેવી રીતે વર્તવુ વિગેરે વિષે લોકજાગૃતિ લાવવામાં મીડીયા જ સિંહ ફાળો આપી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ગીરમાંથી બહાર જતાં સિંહો પરત આવતા નથી

ગીરમાંથી બહાર જતાં મોટાભાગનાં સિંહો ફરી ગીરમાં આવતા નથી અને જે વિસ્તારમાં જાય છે ત્યાં ખોરાક, પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહેતાં સ્થાયી થઇ જતાં હોય છે. જોકે ગીરના સિંહો અન્ય જગ્યાએ ન જતા હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું હોવાનું ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.

વૈકલ્પિક વસ્તીનો વિકાસ : સંરક્ષણ જરૂરી

સિંહો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, પાણીયા અભયારણ્ય તેમજ ગીરનાર, મીતિયાળા, બાબરા વિડી, છારા - સુત્રાપાડા, જાફરાબાદ અને રાજુલાનું દરિયાઇ જંગલ, લીલીયા વિસ્તારમાં આવેલા છે. છ આશ્રિત વસ્તીમાંથી મહુવા, જેસોર, પાલિતાણા, હિ‌પાવડલી ઝોન, શેત્રુંજી નદી, ભાવનગર વિસ્તાર ગીરથી ૬પ કિમી નજીક આવેલ છે અને કેન્દ્રસ્થ વસતી સાથે જોડાયેલ નથી પરંતુ વૈકલ્પિક વસતી છે ત્યારે અનામત સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવા જરૂરી બન્યા છે.

No comments: