Monday, July 29, 2013

ગિરનાર જંગલમાં કૂતરાં છોડી જવા પ્રકરણમાં ગાંધીનગરની તપાસ.

Bhaskar News, Junagadh | Jul 28, 2013, 02:45AM IST
- વનવિભાગ ક્રાઇમ સેલનાં એસીએફએ સ્થળ તપાસ કરી નિવેદનો લીધા

ગિરનારનાં જંગલમાં થોડા માસ પહેલાં જાંબુડી રાઉન્ડ થાણા પાસે એક સિંહે ગાર્ડ પર હુમલો તેમજ જીપનાં ટાયરમાં બચકાં ભરવા જેવું વિચિત્ર વર્તન કરતાં તેને હડકવા થયાની આશંકા જાગી હતી. દરમિયાન થોડા વખત પહેલાં ગિરનારનાં જંગલમાં કોઇ કૂતરાં અને માંસ મૂકી ગયાની ચર્ચાએ જોર પકડયું હતું. આ પ્રકરણમાં ગાંધીનગરની તપાસ આવી છે.

જાણવા મળ્યા મુજબ, ગિરનાર જંગલનાં જાંબુડી રાઉન્ડ થાણા પાસે થોડા વખત પહેલાં એક સિંહે હડકવા થયો હોય એવું વર્તન વિચિત્ર વર્તન કરી ફોરેસ્ટ ગાર્ડ સહિ‌તનાં લોકો પર હુમલો કર્યો હતો. જોકે, બાદમાં તેને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. પરંતુ એ દરમ્યાન ગિરનારની ઉત્તર ડુંગર રેન્જમાં પાટવડ કોઠા વિસ્તારમાં બનાવનાં થોડા દિવસો પહેલાં કોઇ કૂતરાં છોડી ગયાની અને સાથે માંસ પણ મૂકી ગયાની ચર્ચાએ જોર પકડયું હતું. એ કૂતરાં અથવા માંસ ખાવાને લીધે જ સિંહને હડકવા ઉપડયાની અને તેનું મૃત્યુ થયાની વાતો વ્હેતી થઇ હતી.

દરમ્યાન આ ઘટના અંગે એક પ્રકૃત્તિપ્રેમીએ ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેમાં ગિરનાર જંગલનાં ચોક્કસ વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શો કરાવતા હોવા સાથે જંગલમાં હજારો કૂતરાં અને હજારો કિલો માંસ મૂકી ગયાનો મુદ્દો ઉઠાવાયો હતો. જેના અનુસંધાને ગાંધીનગર સ્થિત વનવિભાગનાં ક્રાઇમ સેલનાં એસીએફ રાવલ જૂનાગઢ આવ્યા હતા. અને તેમણે પાટવડ કોઠા પાસે સ્થળની મુલાકાત લઇ સ્ટાફના નિવેદનો લીધા હતા.

No comments: