Tuesday, July 23, 2013

સરકડીયા હનુમાનજી જગ્યાની માલિકી માટે બે જુથ વચ્ચે ડખ્ખો.

Jul 21, 2013
ભેંસાણ : ગીરનાર જંગલની મધ્યે આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસબાપુનું ગઈકાલે નિધન થતા અંતિમયાત્રામાં ગયેલા ગોલાધારની જગ્યાના મહંત રાઘવદાસબાપુને એક સાધુ સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી કાઢી મુકયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.સમગ્ર મામલો જગ્યાની માલિકી અને ગાદિપતિ બનવા માટે બન્યો હોવાનું જાણવા મળે છે.

  • જગ્યાની માલિકી તથા ગાદિપતી બનવા માટે ચકમક ઝરી
ગીરનાર જંગલની મધ્યે આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસબાપુનું ગઈકાલે નિધન થતા તેમની સ્મશાનયાત્રામાં જુનાગઢના ગોલાધાર ગામની સંકટમોચન હનુમાન જગ્યાના મહંત રાઘવદાસબાપુ ગુરુ શત્રુગ્નદાસબાપુ ગયા હતા ત્યારે ત્યા હાજર સરકડીયા હનુમાન
મંદિરની સેવા પુજા કરતા તુલશીદાસબાપુ, કરીયાના ભુપત ડાંગર અને દોલતપરા ના અનિલ વાઘેલા, રાજકોટના જીવણ પટેલ સહિતના લોકોએ રાઘવદાસબાપુ ને અહીં શું કામ આવ્યો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

No comments: