
- અમરેલી જિલ્લામાં દીપડાની વધતી જતી સંખ્યા ચિંતાજનક
અમરેલી પંથકના કોઇ ગામમાં સિંહની હાજરી હોય તો ગામલોકો ક્યારેય સિંહને પાંજરે પુરી અન્યત્ર ખસેડવાની માંગણી નથી કરતા પરંતુ જો દીપડાની હાજરી હોય તો તેને તાકિદે પાંજરે પુરવા માંગ ઉઠે છે. કારણ કે પાછળથી વાર કરતુ આ પ્રાણી ભારે લુચ્ચુ છે. અહીના સાવજો ભાગ્યે જ માણસનો ભોગ લે છે. પરંતુ પાછલા એક વર્ષમાં માત્ર ખાંભા અને ધારી તાલુકામાં જ દપિડાએ પાંચ વ્યક્તિનો ભોગ લીધો છે.
પાછલા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં દીપડાએ માણસ પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં બની છે. તે પૈકી પાંચ વ્યક્તિ તો મોતને ભેટી હતી. ગત તારીખ ૨૦/૪/૧૨ના રોજ ધારીના ખોખરા મહાદેવમાં તથા ૨૧/૪/૧૨ના રોજ ધારીના કરમદડીમાં દપિડાએ બે વ્યક્તિનો ભોગ લઇ હાહાકાર મચાવી દીધો હતો. આવી જ રીતે તા. ૨૪/૬/૧૨ના રોજ જળજીવડી અને તા. ૧૩/૭/૧૨ના રોજ એક એક વ્યક્તિનો ભોગ દીપડાએ લીધો હતો.
ધારી તાલુકામાં ચાર વ્યક્તિના જીવ લેવા ઉપરાંત દીપડાએ તા.૨૮/૫/૧૨ના રોજ ખાંભા તાલુકાના હનુમાનપરામાં પણ એકનો ભોગ લીધો હતો. આ ઉપરાંત દીપડાના હુમલાની ઘટના સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં પણ બની હતી. જો કે અહી માનવ મૃત્યુની ઘટના સદનશીબે બની ન હતી. દપિડાની વસતી વધી રહી છે ત્યારે આ વિસ્તારમાં ખેડુતોએ જાતે જ સાવચેતી રાખવી પડશે.
- એક વર્ષમાં કોનો કોનો ભોગ લેવાયો
ખોખરા મહાદેવ-તેજલબેન ડાયાભાઇ માથાસુળીયા
કરમદડી-સંતોકબેન માધાભાઇ સીરવાડીયા
હનુમાનપરા-રાહુલ બાવભાઇ વાઘેલા
જળજીવડી-હકાભાઇ શામજીભાઇ આંબલિયા
માલસિકા-શૈલેષભાઇ ભીખાભાઇ વાઘેલા
- દીપડા દ્વારા હુમલાની ૨૭ ઘટના
અમરેલી જિલ્લામાં પાછલા એક વર્ષ દરમિયાન દીપડા દ્વારા માણસ પર હુમલાની પાંચ માનવ મૃત્યુ ઉપરાંત ૨૭ ઘટના બની હતી. આ ઘટનાઓ ધારી, ખાંભા, ઉના, સાવરકુંડલા તાલુકામાં બની હતી.
No comments:
Post a Comment