Wednesday, July 31, 2013

૧૦ દી’ સુધી સારવાર ન મળતાં સિંહણે તરફડીને દમ તોડયો.


૧૦ દી’ સુધી સારવાર ન મળતાં સિંહણે તરફડીને દમ તોડયો
Bhaskar News, Savarkundla | Jul 31, 2013, 03:35AM IST
- વનતંત્રની ઘોર બેકાળજીએ સિંહણનો જીવ લીધો
- વન્ય પ્રાણીઓના મોતની વધતી ઘટનાઓથી પ્રકૃતિપ્રેમીઓ ચિંતિત


સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. હજુ થોડા દિવસ પહેલા ધારી નજીકથી એક સિંહનો શંકાસ્પદ હાલતાં મૃતદેહ મળી આવ્યાની ઘટના હજુ તાજી છે ત્યાં સાવરકુંડલાના વાશીયાળીની સીમમાં વન વિભાગે ઘોર બેદરકારી દાખવી પાછલા દસેક દિવસથી બિમાર સિંહણની સારવાર ન કરતા આ બિમારી સિંહણને ભરખી ગઇ હતી. સિંહણ મૃત્યુ પામ્યાના ૨૪ કલાક બાદ છેક વન તંત્રને જાણ થઇ હતી.

એક તરફ ગીરના સાવજોને મધ્યપ્રદેશમાં નહી મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાવાઇ રહ્યુ છે તો બીજી તરફ રાજ્યનું વન તંત્ર આ સાવજોની કાળજી લેવામાં બેદરકાર સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા સાવજોની રક્ષા માટે મસ મોટો સ્ટાફ ખડકી દેવાયો છે. દરેક સાવજ પર સતત દેખરેખ રહે તે માટે કર્મચારીઓ પાછળ લઇલુંટ ખર્ચો થઇ રહ્યો છે. પરંતુ કામચોર કર્મચારીઓ કામ કરતા નથી. જેના કારણે આજે એક સિંહણનો ભોગ લેવાયો હતો.

વાશીયાળીની વીડીમાં એક ડુંગરા પર પાછલા દસેક દિવસથી સિંહણ બિમાર હતી. જે આજે બિમારીના કારણે મોતને ભેટી હતી. આ વિસ્તારના માલધારીઓ માલઢોર ચરાવતા હોય ત્યારે આ સિંહણ ડુંગરા પર નઝરે ચડતી હતી. વળી લાંબા સમયથી બિમારીના કારણે તે એક જ સ્થળે પડી રહી હતી. છતાં વન વિભાગના ધ્યાને તે આવ્યુ ન હતું. જેના કારણે તેને સમયસર સારવાર મળી શકી ન હતી. અને આખરે તે મોતને ભેટી હતી.સવારે વન વિભાગને નાની વડાળ વીડીમાં સિંહણનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે દોડી ગયા હતાં. પોસ્ટ માર્ટમ દરમીયાન પ્રથમ દ્રષ્ટિએ બિમારીના કારણે મોત થયાનું જણાયુ હતું. જયારે સિંહણના મૃત્યુના બનાવથી પ્રકૃતિપ્રેમીઓ ચિંતીત બન્યા છે.

No comments: