Tuesday, July 23, 2013

ગજબ પ્રેમ કહાની: પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી.


ગજબ કહાની: પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી
Sarman Ram, Junagadh   |  Jul 23, 2013, 05:12AM IST
આ બન્ને ધીમે ધીમે શહેરમાં આટા મારવા લાગતા વન - ઝૂમાં ૧૯૯૦ની સાલની 'અજબ પ્રેમ કી ગજબ કહાની’, પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી

અજબ પ્રેમની ગજબ કહાની વર્ષ ૧૯૯૦માં જૂનાગઢ સક્કરબાગમાં બની હતી. નર સિંહ તેની પ્રિયસી જે ઝૂનાં ૧૨ ફૂટ ઉંચા પાંજરામાં કેદ હતી. તેમને મળવા માટે સિંહે જીવસટોસટનો ખેલ ખેલી નાખ્યો હતો અને વિરહમાં ૧૨ ફૂટ ઉંચુ પાંજરૂ કુદી ગયો હતો.
જૂનાગઢ ઝૂમાં જંગલ અને ઝૂમાં વસતા પ્રાણીઓ વચ્ચે પ્રેમનાં ત્રણ કિસ્સા બન્યા હતા. જેમા ૧૯૯૦નાં વર્ષમાં એક નર સિંહ સક્કર બાગમાં તેમની પ્રિયાને મળવા માટે આવ્યો હતો. પરંતુ ફિલ્મ માફક બે પ્રેમી વચ્ચે પાંજરૂ વિલન બન્યુ હતુ. સિંહણ ૧૨ ફૂટનાં પાંજરમાં કેદ હતી. પ્રિયાનો વિરહ સહન ન થતા સિંહે લાંબી દોડ લગાવી જીવસટોસટનો ખેલ ખેલી એક છંલાગમાં ૧૨ ફૂટ દિવાલ કુદી ગયો હતો. તેમજ ૧૯૮૯માં પણ બે સિંહ એમની સિંહણને મળવા સક્કર બાગમાં આવતા હતા.
તંત્રએ તેમને પકડી કેદ કરીને પ્રેમીકાઓ સાથે મિલન કરાવ્યુ હતુ. ઉપરાંત સક્કર બાગમાં રહેલી રૂપા અને રુક્ષ્મણીની પ્રેમ કહાની પણ રોચક છે. આ બન્ને સિંહણને પ્રેમ કરતા બે સિંહ નિયમીત સક્કર બાગમાં આવતા હતા. આ કહાનીમાં જેવા સક્કરબાગનાં દરવાજા બંધ થયાની સાથે સિંહણ તેનાં પાંજરમાં આટા મારવા લાગે અને તેમનાં પ્રેમી નજરે ન પડતા સિંહણ પોતાનાં ગળામાંથી ગર્જના કરવાનુ શરૂ કરી દેતી હતી.

થોડીક ક્ષણોમાં તો બે સિંહ ધીમે પગેલ જંગલની દિશાએથી સક્કરબાગમાં પ્રેવશ છે. અને સીધે સીધા રૂપા અને રુક્ષ્મણીનાં પાંજરા પાસે જઇને ઉભા રહેતા હતા.નજરો મળે છે, બન્ને સિંહ - સિંહણ પાંજરા સાથે પોતાનાં શરીર ઘસીને એકમેક પ્રત્યે હૂંફ પ્રદર્શિ‌ત કરતા હતા. આ રીતે ઝૂમાંસિંહ - સિંહણની લવ સ્ટોરી આકાર પામતી હતી.
- નિતા - નવીનને જુદા કરતાં મોત થયા’તા
૧૯૭૦માં જંગલમાંથી પકડી સિંહ - સિંહણને જૂનાગઢ સક્કર બાગમાં લાવવામાં આવ્યા હતા. તેમનાં નામ નીતા - નવીન પાડવામાં આવ્યા હતા.બન્ને ઝૂમાં એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા. પાંજરામાંજ તેમનો પ્રેમ ગાઢ બન્યો હતો.બન્ને એક બીજા ઉપર માથુ રાખી ને સુતા હતા. પરંતુ ૧૯૭૬ માં સિંહ નવીનને સક્કરબાામાં જ તેનુ મોત થયુ હતુ. તેવી રીતે એપ્રિલ ૧૯૭૬માં સિંહણ નિતાને કાનપુર ઝૂમાં ખસેડવામાં આવી હતી. જયાં તે ત્રણ વર્ષ જીવી હતી. નીતા અને નવીન જૂદા પડયા પછી પણ પોતાની વફાદારી ખંડિત થવા દીધી ન હતી.

No comments: