Monday, July 29, 2013

પાણીનાં સંરક્ષણથી માનવજાત, જીવિસૃષ્ટનું પોષણ.


Bhaskar News, Talala | Jul 28, 2013, 02:41AM IST
- ગીરની પ્રાકૃતિક રચના એવી છે કે ભૂગર્ભ અને સપાટીનું જળ ઝડપથી સમુદ્રમાં વેડફાઇજાય છે
- પાણીનો મહત્તમ ઉપયોગ કરતા શીખવાનું સંશોધનનું મહત્વનું પાસુ


માનવજાત, પ્રાણીઓ અને વનસ્પતીઓનાં જીવંત રરહેવા માટે પાણીની ગુણવતા ખુબ જ મહત્વની બાબત છે. ગીરમાં વન્યસૃષ્ટીની વિવિધ બાબતોનું સંશોધન કરી રહેલા બે સંશોધકો ડો.ચિંતન પાઠક અને ડો.શમશાદ આલમે ગીરના ભૌગલિક કુદરતી સ્થિતી અને આ વિસ્તારમાં પાણીની સ્થિતી અંગે અભ્યાસ કર્યા બાદ એક સચોટ અંદાજ રજૂ કર્યો છે તે અંદાજ મુજબ ગીરમાં પાણીનું સંરક્ષણ થાય તો આવનારી પેઢી માટે ભૂર્ગભ જળની મુલ્યવાન સંપતિ જાળવી શકાશે. સંશોધકો જણાવે છે કે, આપણુ રાજ્ય ગુજરાત એક સુકો પ્રદેશ છે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતી પાણી બાબતે થોડી વધારે ગંભીર છે.

જો પાણીનો મહત્તમ ઉપયોગ કરતા શીખવું હોય તો કચ્છની મુલાકાત લેવી પડે સૌરાષ્ટ્રમાં એક ઉદાહરણ છે કેમ કે જે વિવિધતા જાળવી રાખવા માટે આપણા જંગલખાતા તરફથી થયેલા પ્રયાસોનાં ભાગરૂપે બારેમાસ વહેતી સાત નદીઓ ગીરનાં જંગલમાંથી વહે છે. ગીર રાષ્ટ્રીય ઉઘાન અને ગીર અભ્યારણ્ય એક ખૂબ જ સંવેદનશીલ રહેઠાણ છે જે આપણી પૃથ્વી ઉપરનું એક મહત્વનું ફેફસારૂપ કાર્ય કરે છે અને પ્રદુશાષકોને શોષીને વૈશ્વિક વાતાવરણીય ફેરફારો, વૈશ્વિક ઉષ્ણતામાનનાં ફેરફારને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

ગીરનું કુલ મળી ૭ નદી દ્વારા સિંચન થાય છે. હિ‌રણ, ઘાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ધોળાવડી, રાવલ અને શેત્રુંજી આ સાથે ચાર મોટા ડેમો પણ ગીરમાં આવેલા છે. કમલેશ્વર, શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ અનેક નાના ઝરણાઓ પણ છુટા છવાયા વિસ્તારોમાં વહે છે. સુકી ઋતુ દરમિયાન પાણી એક સંકુચિત વિસ્તારોમાં નદીઓ અને ડેમોમાં જ રહી જાય છે. ગીરની પ્રાકૃતિક ભૌગલિક બનાવટ એવી છે કે, ભૂર્ગભ જળ અને સપાટીનું જળ ઝડપથી વહીને સમુદ્રમાં વેડફાય છે. સાથે બદલાતા ખેતીનાં પ્રકારોનાં કારણે ભૂર્ગભ જળનાં વધતા જતા ઉપયોગનાં કારણે ગીરનાં ભૂર્ગભજળને ખુબ જ નુકશાન થઇ રહ્યું છે.

આ પ્રકારનાં જૈવિક વિવિધતાથી ભરપુર વિસ્તાર ગીરનાં પાણી પ્રશ્નને વૈશ્વિક ફેરફારનાં મુદ્દા સાથે સીધી રીતે સાંકળી શકાય છે. આવનારા સમય દરમિયાન આથી વધારે ગંભીર સ્થિતીઓનો સામનો કરવો પડશે. દેશનાં અન્ય સંરક્ષિત જંગલોની જેમ ગીર પણ અનેક પ્રકારનાં પર્યાવરણીય પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. ગીરનાં સ્થાનિક લોકો ગીરની વસનતંત્રનો સીધે સીધો ભાગ છે. છેલ્લા ૧રપ વર્ષથી ગીરની જૈ વિવિધતાનાં સંરક્ષણમાં લોકોએ મોટો ફાળો આપ્યો છે. વન્ય પ્રાણીઓ પાણીનાં સ્ત્રોતનાં આધારે ફેલાયેલા હોય છે.

એ માટે પાણી સંરક્ષણનાં મુદ્દા ચેકડેમ, કોઝવે, કેચમેન્ટ વિસ્તાર, ભૂર્ગભજળનું સિંચન, પાણીનાં પ્રદુષણ નિયંત્રણ પ્રક્રિયાઓ, સ્થાનિક લોકોમાં પાણીનાં સંચય માટેની જાગૃતતાઘ માટીનું ધોવાણ અટકાવવું આ બધા વનવિભાગનાં પ્રયાસોમાં સ્થાનિક લોકો વધુ જવાબદારી નિભાવી પાણીનાં ભૂર્ગભ સ્તરને જાળવી વધારવામાં સહીયારો પ્રયાસ કરે તો ગીરમાં આવનારી પેઢી માટે પાણી રૂપી સંપતિ જળવાશે અને પાણીનાં સંરક્ષણનો હેતુ સિદ્ધ થશે.

No comments: