Tuesday, March 29, 2011

ખાંભા પંથક્માં બે સિંહણનાં મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બન્યુ.

જૂનાગઢ, તા.૨૮ :
ખાંભા પંથકમાંથી રહસ્યમય સંજોગોમાં બે સિંહણના મૃતદેહ મળી આવ્યા બાદ તેના પી.એમ. રિપોર્ટમાં પણ મોત પાછળનું કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. પરિણામે, સિંહણનાં મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બન્યું છે. ખાંભા પંથકના કંટાળા નજીક માલણ નદીના કાંઠેથી નવ અને સાત વર્ષની સિંહણના મૃતદેહો મળી આવવાની ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે. ગઈ કાલે પ્રાથમિક તપાસમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નહોતું. દરમિયાનમાં વનવિભાગના સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર બન્ને મૃતદેહના પી.એમ. રિપોર્ટમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. માટે હવે એફ.એસ.એલ.ના રિપોર્ટ પર મદાર રાખવામાં આવી રહ્યો છે. મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બનતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275339

No comments: