Thursday, March 17, 2011

સિંહો વચ્ચેની આંતરિક લડાઈમાં સિંહબાળનું મોત.

ગીર : તા. 15, માર્ચ
ધારીગીર પૂર્વના ઈદરડી અને ધાવડીયા ગામની વચ્ચે સીમમાં સિંહો વચ્ચે અસ્તિત્વની લડાઈનો જંગ જામતા સિંહોએ આવી ચડેલા સિંહબાળને મોતને ઘાટ ઉતારી દીધુ હતું. બાદ તેને બચકાભરી તેના માંસને પણ આરોગી ગયા હતાં. આ બનાવની જાણ વન વિભાગને થતા સાસણગીરથી વેટરનરી ડોક્ટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=271106

No comments: