
- સંરક્ષણ, નિરિક્ષણ અને રંજાડ નિવારણની કામગીરી કરશે
ગીર જંગલ બોર્ડરનાં ગામોમાં વન્યપ્રાણીઓનાં વધતા હુમલાઓનાં બનાવને પગલે વન વિભાગને મોબાઈલ વાનની સુવિધા આપી ખાસ ટીમની રચના કરાઈ છે. આ ટીમ વન્યપ્રાણી સંરક્ષણ, નિરીક્ષણ અને રંજાડ નિવારણ અંગેની કામગીરી કરશે.
છેલ્લા કેટલાંક સમયથી ગીર જંગલનાં સરહદીય ગામોમાં માનવ અને વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે વન્યપ્રાણીઓ દ્વારા કરવામાં આવતા મારણ અને તેની હેલ્થની મોનીટરિંગની કામગીરી માટે એક ખાસ ટીમની રચના કરાઈ છે. આ મોબાઈલવાન ટીમનો ગત તા.૨૫નાં મુખ્યવનસંરક્ષક જુનાગઢનાં હસ્તે પ્રારંભ કરાયો છે.
આ ટીમ જંગલ વિસ્તાર અને તેની બાજુનાં રેવન્યું ગામોમાં ક્રમવાર મુલાકાત લઈ વન્યપ્રાણી મીત્ર, સરપંચ અને આગેવાનોેને મળી ગામમાં આવતા વન્યપ્રાણીઓ વિષે જાણકારી મેળવશે. તેમજ જો વન્યપ્રાણી દ્વારા રંજાડની રજુઆત આવશે તો તેની નોંધ કરી તે દુર કરવાની કામગીરી માટે રિપોર્ટ કરશે. આ ઉપરાંત વન્યપ્રાણી બિમાર હશે તો તેની સારવારની કાર્યવાહી કરશે.
આ ટીમ એક રજીસ્ટર રાખશે જેમાં મુલાકાતની તારીખ, રાઉન્ડ, બીટ, ગામનું નામ પદાધિકારી આગેવાનનું નામ, તેનો હોદ્દો, ફોન નંબર, રજુઆતની વિગત,સહીતની તમામ માહિતીઓની વિસ્તૃત નોંધ કરાશે. આ મોબાઈલવાનમાં એક બોલેરો કેમ્પર, બે ફોરેસ્ટર, એક ફોરેસ્ટગાર્ડ, બે ટ્રેકર્સ રહેશે.
ગામમાં વન્યપ્રાણીઓ શા કારણે આવે છે ?
અગાઉ વન્યપ્રાણીઓ ખાસ કરીને સિંહ અને દિપડા ગામમાં આવતા ન હતા પરંતુ હવે આવવાનાં શરૂ થયા હોય તે શા માટે આવે છે અને તેના કારણોમાં પાણીની વ્યવસ્થાનો અભાવ કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ કરશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-mobile-van-service-given-to-forest-department-1965561.html
No comments:
Post a Comment