Friday, March 25, 2011

ધોળા દિવસે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું.

Thursday, March 24,
- ગ્રામ્ય વિસ્તારોમાં બીટ ગાર્ડોનું પેટ્રોલિંગ રાખવા લોકોની માંગ
ઉના પંથકનો ગ્રામ્ય વિસ્તાર ગીર અભ્યારણમાં ફેરવાયો હોય તેમ ઉનાળાનાં પ્રારંભ સાથે જ સિંહ પરિવાર માનવ વસાહતમાં પહોંચી જવાનાં બનાવો વધી રહ્યા છે ત્યારે ગુંદાળાની સીમમાં ધોળા દિવસે સિંહ પરિવારે એક ગાયનો શિકાર કરી બે કલાક સુધી નિરાતે મારણની મિજબાની માણી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ ઉના તાલુકાનાં ગુંદાળા ગામની સીમમાં ખેતરમાં ચરતી ગાય ઉપર સિંહ પરિવારે ધોળા દિવસે હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. સિંહણે તેનાં બે બચ્ચા સાથે બે કલાક સુધી નિરાંતે મજિબાની માણી હતી. સિંહણ તેનાં બચ્ચાનું પણ ચાલાકીથી ધ્યાન રાખે છે. બચ્ચા મારણ કરતાં હોય ત્યારે આસપાસ આંટા મારતી રહે છે. ધોળે દિવસે મારણ કર્યાની વાત ગામમાં ફેલાતા આ સિંહ પરિવારને નિહાળવા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ગુંદાળા ઉપરાંત ખિલાવડ,જુડવડલી, ખાપર, સરસર, વડવીયાળા જેવા જંગલ બોર્ડરનાં ગામોમાં સિંહણ તેનાં બચ્ચા સાથે જોવા મળી રહી છે. ત્યારે બચ્ચાનાં રક્ષણ માટે સિંહણ આક્રમક બની શકે છે. આવા સમયે બીટગાર્ડોનું સતત પેટ્રોલીંગ વનખાતાએ રાખવું જોઇએ તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે.
ખિલાવડમાં પાંજરે પૂરાયેલી સિંહણને મુક્ત કરવી પડી!
થોડા દિવસ પહેલાં ખિલાવડગામની સીમમાં એક સિંહણે ખેડૂતને ધાયલ કર્યો હતો. ત્યારબાદ વનવિભાગને આ સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. પરંતુ આ સિંહણને વનવિભાગે પાંજરામાંથી મુક્ત કરી દીધાનું ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યું છે. આ અંગે તજજ્ઞો પાસેથી જાણવા મળ્યા મુજબ સિંહણ બચ્ચા સાથે જ પાંજરે પુરાવવી જોઇએ. જો એકલી સિંહણ પાંજરે પુરાયતો અન્ય સિંહણ તથા બચ્ચાઓનો મિજાજ આક્રમક થાય અને કોઇ પણ ઉપર હિંસક હુમલો કરી શકે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-hunting-cow-on-day-near-una-1957907.html

No comments: