Friday, March 25, 2011

સિંહનો કોળિયો બનેલી ખેડૂત મહિલાના પરિવારને રૃપિયા એક લાખનું વળતર.

તાલાલા, તા.૨૩
તાલાલા તાલુકાના મોરૃકા (ગીર)માં એક ખેડૂતપુત્રીને પોતાના કેસર કેરીના બગીચામાં સોમવારે એક સિંહે હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારતા આ બનાવના પગલે મોરૃકા સહિત સમગ્ર ગીર પંથકમાં લોક રોષ ભભુકી ઉઠયો હતો. આ બનાવ બાદ હિંસક વન્ય પ્રાણીઓનો ભોગ બનેલ મોરૃકા (ગીર)ની ખેડૂતપુત્રી સરોજબેન મોહનભાઈ અકબરીના પતિને તુરત રૃ. એક લાખની સહાયનો ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખ આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં ધારી-બગસરાના ધારાસભ્ય મનસુખભાઈ ભુવાના હસ્તે આપવામાં આવ્યો હતો. આ વખતે તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ નરસીભાઈ વાગડીયા સરપંચ વલ્લભભાઈ ચોથાણી, કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ સોજીત્રા ઉપરાંત તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ રાકેશભાઈ વેકરીયા, વિવિધ ગામના અગ્રણીઓ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાના પરિવારને મળી સાંત્વન આપતા આગેવાનો-અધિકારીઓ
પ્રદેશ ભાજપ પ્રમુખ તથા ધારી-બગસરાના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ વન વિભાગના અધિકારીઓએ વન્ય પ્રાણીનો ભોગ બેલ મહિલા પરિવારની મુલાકાત લઈ ધરપત સાથે દિલાસોજી આપી હતી.
હિંસક પાણીઓ ઉપર વોંચ નહીં રખાય તો હવે ખેડૂતો લાશ લઈ સચિવાલય લઈ જશે
વનવિભાગની નિષ્ફળતા સામે તાલાલા પંથકમાં રોષ
 તાલાલાઃ તાલાલા પંથકમાં દિવસે દિવસે જંગલી જાનવરોનો ત્રાસ વધતો જાય છે. છેલ્લા એક માસમાં તાલાલા પંથકમાં બે નિર્દોષ્ માનવીને વન્ય પ્રાણીઓ કોળીયો કરી ગયા હોય વન વિભાગની નિષ્ફળતા સામે તાલાલા પંથકમાં લોક રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. બનાવ બાદ મોરૃકા (ગીર)માં આવેલા વન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ ગીર પંથક કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા સહિતના ઉપસ્થિત અગ્રણીઓએ જંગલી જાનવરોના ત્રાસ અંગે રજૂઆતો કરી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273867

No comments: