Sunday, March 27, 2011

દલખાણીયા રેન્જમાં ૪૮ કલાકમાં ત્રીજી વખત દવ લાગ્યો.

Sunday, March 27
- વનતંત્રનાં મજૂરોએ લાંબી મથામણે આગ પર કાબુ મેળવ્યો
ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં ૪૮ કલાકમાં ત્રીજી વખત દવ લાગ્યો હતો. ગઇ કાલે લાગેલા આ દવમાં અઢી હેકટર ઘાસ બળીને રાખ થઇ ગયું હતું. જંગલખાતું સતત બની આવી ઘટના માજ્ઞે વિઘ્નસંતોષીઓ પર દોષનો ટોપલો વોળી રહ્યું છે.
દવની આ ઘટના દલખાણયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં બની હતી. અહીં અચાનક પારેવડા વિસ્તારમાં દવ ફાટી નિકળ્યો હતો. જો કે દવ આગળ વધી વધુને વધુ વિસ્તારને ઝપેટમાં લે તે પહેલા વન તંત્રનાં મજૂરોએ તેના પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ પ્રતીબંધીત વિસ્તારમાં દવની આ ઘટનાએ અનેક શંકા ઉભી કરી છે.કરમદડી રાઉન્ડમાં આગલા દિવસે એટલે કે, ગુરૂવારે પણ દવની બે ઘટના બની હતી. સવારે અને સાંજે બનેલી બે અલગ-અલગ ઘટનામાં ૧૨ હેકટરથી વધુ વિસ્તારમાં ઘાસનો જથ્થો બળી ગયો હતો.
આમ માત્ર ૪૮ કલાકના ગાળામાં દવની ત્રીજી ઘટનાએ છેવટે વન તંત્રને દોડતું કરી મુકર્યું છે. વન તંત્રનાં કર્મચારીઓ અંદરખાને આવી ઘટનાઓ માટે વિઘ્નસંતોષીઓને જવાબદાર ગણી રહ્યા છે.
દોષનો ટોપલો અસામાજીક તત્વોને માથે ઢોળાવાના બદલે જો વનખાતાનો સ્ટાફ નિયમિત પેટ્રોલીંગ કરે તો ચોકકસ પણે આવા બનાવો અટકી શકે તેમ છે પરંતુ ઉપરી અધિકારીઓ પણ ઢીલું વલણ અપનાવતા હોય કર્મચારીઓની કામચોરીનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-third-time-fire-in-forest-in-48-hour-in-dalkhania-renge-1965547.html

No comments: