Sunday, March 27, 2011

ખાંભાના કંટાળા નજીકથી સિંહણનો મૃતદેહ મળ્યો.

ખાંભા/અમરેલી તા.ર૬
ખાંભાના ગીર કાંઠાના કંટાળા ગામ નજીક માલણ નદી ઉપર આવેલા ડેમના પાળા નજીકથી પુખ્ત ઉમરની સિંહણનો મૃતદેહ મળી આવતા જંગલખાતામાં દોડધામ મચી
ગઈ હતી. સિંહણના મૃતદેહના પી.એમ. માટે સાસણથી ડોકટર બોલા વવામાં આવ્યા હતા.
ડી.એફ. ઓ. મુનિશ્વર રાજાએ આ અંગે જણાવ્યું હતું કે, માલણ નદીના કાંઠેથી નવ વર્ષની એક સિંહણનો મૃતદેહ મળી આવતા ડોકટરોની ટીમ મોકલવામાં આવી હતી. ડોકટરના જણાવ્યા મુજબ સિંહણનું મોત વધારે પાણી પી જવાથી થયું હતું. જંગલ વિસ્તારમાં અવારનવાર જંગલી પશુઓના અકુદરતી મોત થતા હોઈ જંગલ ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ જંગલ અને વન્યપ્રાણી સંપદાના રક્ષણ માટે નિયમિત ફરેણા કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.
source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274745

No comments: