Monday, March 28, 2011

ચિત્રાવડ-સાંગોદ્રા વચ્ચેના પાકો રસ્તો કયારે થશે?

તાલાલા,તા,ર૭
તાલાલા તાલુકાના ચિત્રાવડ અને સાંગોદ્વા ગીર ગામને જોડતો રસ્તો પેવરથી પાકો બનાવવા તથા આ રસ્તા વચ્ચે આવતા નાના મોટા પુલીયાનું કામ કરવા જિલ્લા પંચાયતનની ગ્રાન્ટમાંથી બે વર્ષ પહેલાં સીતેર લાખ મંજુર થયા છે. કામ શરૃ કરવા માટે બન્ને ગામના લોકોએ વારંવાર રજુઆતો કરવા છતાં કામગીરી શરૃ કરવામાં આવી નથી.
આ બાબતે ત્વરીત યોગ્ય કરવા ચિત્રાવડ સહકારી મંડળીના પ્રમુખ નિજારભાઈ સમનાણી અને મંત્રી મદનભાઈ સમનાણીએ જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સમક્ષ રજુઆત કરી છે. ચિત્રાવડ ગીરમાં ઘણાં બાળકો અભ્યાસ માટે જાય છે રસ્તો બિસ્માર હોવાના કારણે બાળકો અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં નદીમાં પુર આવે છે ત્યારે લોકોને લાંબા સમય સુધી વાહનો રોકી રાખવા પડે છે.
 આ સ્થિતિ દર ચોમાસે નિર્માણ થતી હોય રસ્તાની કામગીરી તુરત શરૃ કરવામાં આવે તેવી માગણી અંતમાં કરવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274899

No comments: