Friday, March 25, 2011

મેંદપરાની સીમમાં સિંહ પરિવારે મારણ કર્યું.

Friday, March 25, 2011
 ભેંસાણના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો અવારનવાર આવી ચઢતા હોવાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ત્યારે મેંદપરા ગામે રહેતા બાબુભાઇ જેરામભાઇ સાવલીયાની વાડીએ. ચાર જેટલા સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. બાબુભાઇની ભેંસનું મારણ કર્યું હતું.
જ્યારે રવજીભાઇ સાવલીયાના બળદને ઇજા પહોંચાડી હતી. આ અંગે ભેંસાણ તાલુકા કોંગ્રેસ અગ્રણી હંસરાજભાઇ સોજીત્રાએ ખેડૂતોને સાથે રાખીને વન વિભાગને રજુઆત કરતા જણાવ્યું હતુ કે, આ વિસ્તારમાં વન્યજીવો અવાર નવાર આવી ચઢતા હોવાથી ખેડૂતોની જીવદોરી સમાન પશુધનની સલામતી રહેતી નથી.
જેથી જંગલની બોર્ડર ફરતે ફેસીંગ કરી નાખવામાં આવે તો વન્યજીવો રહેણાંક અને સીમ વિસ્તારમાં રજુઆતો છતા વનમંત્રની નિષ્ક્રિયતાથી રોષ ફેલાયો છે

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-hunting-in-mendaparas-farm-1959441.html

No comments: