Tuesday, March 29, 2011

સુરવા (ગીર)માં દીપડો પાંજરામાંથી બે બકરાનું મારણ કરી ગયો.

તાલાલા (ગીર), તા.૨૮
તાલાલા તાલુકાના સુરવા (ગીર)માં આતંક મચાવતા દીપડાને પકડવા મુકેલ પાંજરામાંથી પણ દીપડો બે બકરા ઉઠાવી જતા છેલ્લા એક વર્ષથી દીપડાનો ભોગ બની રહેલ સુરવા (ગીર) ગામની પ્રજા હતાશ થઈ ગઈ છે.
સુરવા (ગીર)ની સરકારી મંડળીના સદસ્ય છગનભાઈ વેકરીયાના જણાવ્યા પ્રમાણે સુરવા (ગીર)ની હડમતીયા રોડ વિસ્તારની સીમમાં છેલ્લા એક વર્ષથી એ ખુંખાર દીપડો પડાવ નાખીને બેઠો છે. આ દીપડો રાત પડે તુરંત ગામમાં આવી ગામના ખેડૂતોની ૧૨ થી ૧૫ ફુટ ઉંચી દિવાલો ટપી ખેડૂતોના ફળીયામાંથી પશુઓના મારણ કરે છે. આ ખુંખાર દીપડાએ અત્યાર સુધીમાં ગામમાંથી કુલ ૫૦ થી ૬૦ નાના વાછડા-વાછડી અને પાડરૃના મારણ કર્યા છે. આ દીપડાના આતંકથી ગામ લોકો ભયભીત થઈ ગયા છે.
છગનભાઈના જણાવ્યા પ્રમાણે આ દીપડાને પકડવા જંગલખાતા દ્વારા આઠ થી દશ મહીનાથી મારા બગીચાની અંદર જંગલ ખાતાએ પાંજરૃ મુકયુ છે. પાંજરામાં મચ્છીના ટુકડા રાખવામાં આવેલ છે. છતાં દીપડો પાંજરામાં આવતો નથી.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન જંગલખાતાએ પાંજરામાં બે બકરા રાખ્યા હતા. પાંચ દિવસ દરમિયાન બંને બકરાઓને પાંજરામાંથી ઉઠાવી ચાલક દીપડો મારણ કરી ગયો છે. આ દીપડો હવે પાંજરામાંથી પણ મારણ કરવા લાગતા છેલ્લા એક વર્ષથી સુરવા ગીર ગામને બાનમાં લેનાર દીપડો ચપળ અને ચાલક હોય હવે પડડાશે કે કેમ? તેવા સો મણના સવાલ સાથે ગામને આશા છોડી દીધી છે. સુરવા (ગીર) ગામના દીપડાને પકડવા એક વર્ષથી પરસેવો પાડતુ જંગલખાતા સમક્ષ ગામ લોકો ચાલક અને ખુંખાર દીપડાને એક વર્ષમાં કરેલ મારણોની સંપૂર્ણ વિગતો સાથે વન વિભાગની તાલાલા ખાતેની કચેરીએ રજુઆત કરનાર છે. તેમ ગામના ખેડૂત છગનભાઈ એ જણાવ્યું હતું.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275315

No comments: