Sunday, March 27, 2011

કેસરના પાકમાં નૂકસાનીનો વૈજ્ઞાનિકોનો સત્તાવાર સ્વિકાર.

જૂનાગઢ, તા.૨૫
પ્રતિકૂળ વાતાવરણના કારણે કેસર કેરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નૂકશાની પહોંચી હોવાની બાબતને જૂનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા પણ સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ ખરણ અટકાવવા પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરાયો છે. કેસર કેરીના પાકના નિરીક્ષણ માટે કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા મેંદરડા પંથકમાં બગીચઓની મૂલાકાત પણ લેવામાં આવી હતી. જેના આધારે કૃષિ. યુનિ.એ જણાવ્યું છે કે, એક તો મોડો મોર આવતા તથા વધુ પ્રમાણમાં મોર આવતા તેમજ મોર ફૂટવાના સમયે તાપમાનના અસામાન્ય ફેરફારોને કારણે ફલીનીકરણનું પ્રમાણ ઓછું થયું છે. આ વર્ષે અંદાઝે ર૦ થી રપ ટકા જેટલુ નૂકશાન થયેલું ગણી શકાય તેમ છે. વધારે ગરમીથી થતું ખરણ અટકાવવા આંબાવાડીયામાં પાણી આપવા તેમજ પ્લેનોફીક્સ પ મી.લી. અને યુરીયા ર૦૦ ગ્રામ/૧૦ લી. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવા બાગાયતકારોને અપીલ કરવામાં આવી છે. તેમજ આંબાના ઝાડ દીઠ બે કિગ્રા એમોનીયમ સલ્ફેટ આપી પાણી આપવાની ભલામણ કરાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274685

No comments: