Wednesday, November 30, 2011

સિંહણનાં મોતનાં કિસ્સામાં બે ખેડૂતોની આખરે ધરપકડ.


ઉના તા.૨૯:
ઉના તાલુકાનાં ધોકડવાની સીમમાં સિંહણનાં મોતને અકસ્માતમાં ખપાવી દેનારા બે ખેડુતોની ઘરપકડ કરવામાં આવી છ. બંનેને રિમાન્ડની માંગણી સાથે ઉના કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. દરમિયાન, ઈલે. શોક આપીને સિંહણને માતને ઘાટ ઉતારવામાં વપરાયેલો ઈલે.વાયર પણ કબ્જે કરાયો છે.
  • રિમાન્ડની માગણી સાથે બન્નેને ઉનાની કોર્ટમાં રજૂ કરાયા
વિગત અનુસાર ધોકડવાની સીમમાં વાડી ધરાવતા જગદીશભાઈ વીરાભાઈ માલવીના ખેતરના અવાવરૂ કુવામાં સિંહણનો મૃતદેહ લટકતો હોવાની જાણ જંગલ ખાતાને કરવામાં આવતા જંગલ ખાતાના સ્ટાફ દ્વારા સિંહણના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. કરાવવામાં આવ્યું હતું.
સિંહણનું મોત ઈલે. શોકનાં કારણે થયુ હોવાનું બહાર આવતા જંગલ ખાતાએ તપાસને વેગવંતી બનાવી હતી. જે કુવામાંથી મૃતદેહ મળ્યો હતો, તે કુવાથી થોડે દુર સણોસરાના જશા ભગવાન બલદાણીનું ખેતર છે. ખેતરમાં રહેલા પાકને પ્રાણીઓથી બચાવવા માટે ખેતર ફરતે લોખંડની વાડ બનાવી હતી.
રાતના સમયે તેમાં ઈલે. શોક પસાર કરાવવામાં આવતો હતો. આ શોકના કારણે જ સિંહણનું મોત નિપજયાનું બહાર આવ્યુ છે.
આ બનાવને છૂપાવવા માટે જસાના ભાઈ ભીખા ભગવાને પણ મદદગારી કરી હોવાનું બહાર આવતા બંનેની ઘરપકડ કરવામા આવી છે. બન્નેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=13228

No comments: