Wednesday, February 17, 2010

ખુંખાર દીપડાએ એક વાછડીનું મારણ કર્યું.

તાલાલા(ગીર),તા.૧૪

તાલાલા તાલુકાના આંકોલવાડી (ગીર)ગામે મંડોરાણા રોડ ઉપર રહેતા પટેલ ખેડૂત જીણાભાઈ ભોવાનભાઈ વઘાસીયાના મકાનના આંગણની ૧૫ ફૂટ ઉંચી કમ્પાઉન્ડની દિવાલ કૂદી મકાનના ફળીયામાં પ્રવેશ કરી દીપડો વાછડીનું મારણ કરી જતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

જંગલમાંથી વન્યપ્રાણીઓ માનવવસ્તી તરફ પ્રયાણ કરી રહ્યાં છે ઉનાળાના દિવસો દરમિયાન જંગલમાંથી વન્યપ્રાણીઓ માનવવસ્તી તરફ પ્રયાણમાં હજી વધારો થશે. ત્યારે પંદર પંદર ફૂટ ઉંચી દિવાલો કૂદીને દીપડો મકાનમાં ગયાનો બનાવથી લોકો ભયભીત થઈ ગયા છે. તાલાલા પંથકમાં વન્યપ્રાણીઓની હિફાજત માટે રસ્તાઓ બંધ કરવા કે રસ્તા ઉપર અડચણો ઉભી કરવી સહિતની કાર્યવાહી જંગલખાતુ કરી રહ્યું છે. પણ વન્ય જીવોથી પશુધનને બચાવવા કોઈ કાર્યવાહી કરતું નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=159776

No comments: