Tuesday, February 16, 2010

ભાંગ પીધા બાદ દસથી વધુ શખ્સો ભાન ભૂલ્યા.

Bhaskar News, Junagadh

તમામને કેફી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા

શિવરાત્રી નિમિત્તે ભોળાનાથની પ્રસાદી તરીકે લેવામાં આવે છે. પરંતુ આ પ્રસાદી વધુ પડતી લેવાથી શિવભકતો ભાવ ગુમાવી બેસે છે. ગઇકાલે રાત્રે ભવનાથમાં વધુ પડતી ભાંગનો પ્રસાદ લીધા બાદ દસથી વધુ શખ્સો ભાવ ભૂલ્યા હતા. અને તમામને સીવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ગતરાત્રે જૂનાગઢનાં ભવનાથ વિસ્તારોમાં મહાદેવની પ્રસાદી તરીકે ભાંગનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ વધુ પડતી ભાંગ પી લેવાથી તેની કેફી અસર થઇ જાય છે. ગત રાત્રે શિવરાત્રી નિમિત્તે પલાણા ગામનાં રતિલાલ મનુ દરજી, હિંમતનગરનાં રાયધન પખમણ, સુરતનાં મોહન હરકિશન વિસાવદર નજીકનાં વડાળા ગામનાં દુષ્યંત વિનયકાંત ત્રિવેદી, જોષીપરાનાં હાર્દિક રાજેશ સુથાર તથા અમદાવાદનાં જગદીશ મોહન સહિત દસથી વધુ શિવભકતોએ ભાંગની વધુ પડતી પ્રસાદી પી લેતાં તેઓને ભાંગની કેફી અસર થઈ જતાં આ તમામ શખ્સો ભાન ગુમાવી બેઠા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/14/100214024907_ten_person_in_hospital.html

No comments: