Saturday, February 20, 2010

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા રવિવારે પ્રતિક વૃક્ષારોપણનો કાર્યક્રમ.

Bhaskar News, Bhavnagar

પર્યાવરણ માટે જાગૃત થયેલી સંસ્થાઓને પોતપોતાની સંસ્થામાં ‘‘વૃક્ષારોપણ પ્રતિજ્ઞા’’નો કાર્યક્રમ યોજવા અનુરોધભાવનગરના પર્યાવરણ પ્રેમી જાગત નાગરિકોની લાગણીને માન આપી દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા શેઠ બ્રધર્સના સહયોગથી અને વનવિભાગના માર્ગદર્શન નીચે રવિવારે સવારે ૮ કલાકે વિક્ટોરીયા પાર્ક ખાતે પ્રતિક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે.

વિક્ટોરીયા પાર્કમાં તાજેતરમાં લાગેલી ભયાનક આગ બાદ ભાવનગરના લોકોમાં ઉભી થયેલી ચિંતાને દૂર કરવા પર્યાવરણ પ્રેમીઓની લાગણીને માન આપી ‘સૌરાષ્ટ્ર સમાચાર’ દ્વારા સમુહ વૃક્ષારોપણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સહભાગી થવા અનેક સંસ્થાઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવેલ છે.

ભાવનગર વનવિભાગની કચેરી દ્વારા હાલ ઉનાળાનો સમય છે અને પાણીની પણ તીવ્ર તંગી છે તથા જમીનમાં ભેજ નથી તે સંજોગોમાં હાલમાં વૃક્ષારોપણ પ્રતિકાત્મક રીતે જ કરવા અને ચોમાસામાં મોટાપાયે વૃક્ષારોપણ કરવા અનુરોધ કરાયેલ છે.

આથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોયને સંસ્થાના બે-બે પ્રતિનિધીઓની હાજરીમાં રવિવારે સવારે ૮ કલાકે વિક્ટોરીયા પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.સંસ્થાના પ્રતિનિધીઓએ વિક્ટોરીયા પાર્કની અંદર આવેલા ફોરેસ્ટ વિભાગના હોલમાં સમયસર પહોંચી જવા અનુરોધ છે.

જે સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તે સંસ્થા અને અન્ય પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા પોતપોતાની સંસ્થામાં સમુહમાં ‘ચોમાસામાં સમુહ વૃક્ષારોપણ ઝૂંબેશમાં જોડાશું’ તે અંગેની પ્રતિજ્ઞા લેવા આવે તેવો ‘સૌરાષ્ટ્ર સમાચાર’ દ્વારા જાહેર અનુરોધ છે અને આ પ્રકારે જે જે સંસ્થાઓ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજે તેમણે આ અંગેનો વિગતવાર અહેવાલ તસ્વીર સાથે સૌરાષ્ટ્ર સમાચાર કાર્યાલયે મોકલી આપવા વિનંતી છે.રવિવારે વિક્ટોરીયા પાર્ક ખાતે રજીસ્ટ્રેશન કરાવેલી સંસ્થાઓના બે-બે પ્રતિનિધીઓએ પ્રતિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવવાનું છે જ્યારે પોતાની સંસ્થાના કાર્યકરો-વિધાર્થીઓને એકત્ર કરી જાહેર પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ પોતાની અનુકૂળતા મુજબ ગોઠવવાનો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/20/100220023324_tree_transplant_planning_from_saurastra_samachar.html

No comments: