Thursday, February 18, 2010

વિક્ટોરીયા પાર્કની આગની તપાસને ઉંધા પાટે ચડાવવાના પ્રયાસો .

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

ભાવનગર,બુધવાર
ભાવેણાવાસીઓના હૃદયમાં જેનું સ્થાન છે.તેવા વિક્ટોરીયા પાર્ક જંગલના દરવાજા પોતાનું પાપ છુપાવવા માટે જડ જંગલ ખાતાએ બંધ કરી દેતા નગરજનોમાં ભારે રોષ સાથે વનખાતા સામે અનેક શંકાકુશંકા જન્મી છે. આગની સમગ્ર ઘટનાને ઉંધા રસ્તે ચડાવવા વન ખાતુ હવે તેમના આકાઓને બચાવવા અવનવા કિમીયા અજમાવા લાગ્યા છે.
તાંત્રિક વિધીના બહાને આગ લાગ્યાની વાત નાનું છોકરૃય માને નહિ ઃ પાર્કના દરવાજા કેમ બંધ કર્યા ઃ મુખ્યમંત્રીનું કાર્યાલય પોસ્ટ કાર્ડથી છલકાવી દેવાય તો ભાવેણાનો ધબકાર ગાધીનગર સુધી સંભળાશે

વનમંત્રીની વિક્ટોરીયા પાર્કની ભેદી મુલાકાત સમયેજ પાર્કમાથી દારૃની બોટલ અને અન્ય સામગ્રી આશ્ચર્યજનક રીતે મળી આવતા વન ખાતુ તેને તાંત્રિક વિધીમાં ખપાવી તપાસને ઉંધે પાટે ચડાવવાનો હિન પ્રયાસ કરે છે.
જે દિવસે આગ લાગી ત્યારે ૧૫૦ થી ૨૦૦ લોકો જેમાં ફાયર સ્ટાફ, પ્રેસ મીડીયા, લોકો પોલીસના જવાનો વગેરે હતા અને તે પછી વનખાતાએ બધાના માટે દરવાજા બંધ કરી દીધા હતા તો દારૃની બોટલ કોણ મુકી ગયું ? એ વખતે આખા ેકબજો જંગલખાતા પાસે હતો. સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચ તપાસ કરે તો આ બધા કૌભાડીયા અને હજારો જીવ સૃષ્ટિના હત્યારાના ધોતીયા ઢીલા થઇ જાય.

જો લઠ્ઠાકાંડમાં સો દોઢસો લોકો મરે તો ગૃહ પ્રધાનનું રાજીનામું રાજીનામું મંત્રાલયે વિક્ટોરીયા પાર્કમાં ૧૫૦ એકટરમાં જંગલ નાશ પામ્યુ છે. હજારો પક્ષીઓ, સર્પો, લાખો કિડીયો, સેંકડો બચ્ચાઓ,ઇંડાઓ, તથા બીજા હજારો જીવ સૃષ્ટિને મોતને ઘાટ ઉતારવામાં આવી તેની નિષ્ફળતા માટે રાજયના વનમંત્રી સીધા જવાબદાર છે. અને ભાવનગર આવતા પહેલા તેને રાજીનામું આપવું જોઇએ ભાવનગર આવ્યા પછી આગ જેને લગાડી હોય પરંતુ ંઠંડે કલેજે આગ લગાડવાની અનુકુળતા જેને કરી આપી છે.તેવા જવાબદાર અધિકારી અને કર્મચારીને સ્થળ પર જ બરતરફ કેમ ન કર્યા વનમંત્રી અને સરકારની બદદાનતથી નગરજનો અજાણ નથી.
વિક્ટોરીયા પાર્કની આગ લગાડનારા શેતાનોને ખુલ્લા પાડી સખતમાં સખ્ત સજા થાયતેવી માગં જો પ્રત્યેક ભાવેણાવાસીઓની હોયતો રાજયના મુખ્યમંત્રીએ સુખદુઃખમાં તેને એક પોસ્ટકાર્ડ લખવાનું કેટલીય જાહેર સભાઓમાં જાહેર વચન આપ્યુંહતું.તો ભાવેણાવાસીઓ ઉઠાવો કલમ અને મુખ્યમંત્રીું કાર્યાલય ભાવનગરવાસીઓના પોસ્ટકાર્ડથી છલકાવી દેવું જોઇએે. એ સિવાય સમગ્ર ઘટનાની સાચી વિગતો ભાજપના કોઇ નેતામાં ખમીર નથી કે મુખ્યમંત્રીને રજૂ કરી શકે. પ્રજાએ જ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરી રાજકિય વચેટિયાઓની ભુડી ભુમિકાનો પર્દાફાશ કરવો જોઇએ.તેવું બે દિવસથી ચોરે ચૌટે ચર્ચાયછે. જાણવા મળ્યા મુજબ વિક્ટોરીયા પાર્કના દરવાજા બંધ રાખીને હજારો સર્પો,, પંખીઓ, તથા અન્ય જીવસૃષ્ટિના મૃતદેહો અને અવશેષોનું ખાનગીમાં નિકાલ કરી પુરાવાને નાશ કરાય રહ્યાનું લોકોમાથી સંભળાતુ હતું.
સમગ્ર ભાવેણાવાસીઓના હ્દયને હચમચાવી નાખે તેવી આ ક્રુર ઘટનાના ગૂનેગારોને પકડવા માટે અને આકરામાં આકરી સજા કરવા માટે મુખ્યમંત્રીની ઇચ્છાશક્તિ વધુ દ્રઢ બને તેવી પ્રત્યેેક ભાવેણાવાસીઓની અપેક્ષા છે. જયાં શહેરના લોકો રોજ કિડાયારૃ પુરવા જાય છે. એ હજારો કીડીયારા આગમાં ભસ્મીભુત થઇ ગયા છે. મુખ્યમંત્રી પાસે ભાવનગરના પ્રજાજનોની ખુબ ઉંચી અપેક્ષા છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56375/149/

No comments: