Thursday, February 18, 2010

‘સિંહના બદલે વાઘ’ની કેન્દ્રની ઓફરમાં ગુજરાતને રસ નથી.

Wednesday, Feb 17th, 2010, 8:44 pm [IST]

danik bhaskar
Munaver Patangwala, Gandhinagar

ગુજરાતમાંથી સિંહ લઈ તેના બદલામાં વાઘ આપવાની કેન્દ્દ સરકારની દરખાસ્તમાં ગુજરાત સરકારે કોઈ રસ દાખવ્યો નથી.તાજેતરમાં કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ગુજરાતને એવી લલચામણી ઓફર કરી છે કે ગુજરાત તેમને સિંહ આપ અને તેના બદલામાં કેન્દ્દ તેમને વાઘ આપશે.

નોંધનીય છે કે એશિયાભરમાંથી માત્ર ગુજરાતના ગીરનાં અભ્યારણ્યમાં સિંહ વસે છે અને તે ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સમાન છે.છેલ્લા એક દાયકા અગાઉથી કેન્દ્દ સરકાર ગુજરાત પાસેથી મધ્યપ્રદેશના જંગલોમાં વસાવવા સિંહની માંગણી કરે છે પરંતુ આજદિન સુધી ગુજરાત સરકારે તેમાં કોઈ જ રસ દાખવ્યો નથી એટલે હવે કેન્દ્રિય મંત્રીએ ગુજરાતને ફરી એકવાર સાટા પદ્ધતિ જેવી ઓફર કરી છે.જેમાં કહેવાયું છે કે ગુજરાતના ડાંગ જિલ્લાના જંગલોમાં અગાઉ વાઘ વસતા હતા.

જે સમય જતાં લુપ્ત થઈ ગયા છે એટલે જો ગુજરાત સરકાર ઈચ્છે તો તેઓ ગુજરાતના ડાંગમાં વસાવવા ફરીથી તેમને વાઘ આપી શકે તેમ છે પરંતુ તેના બદલામાં ગુજરાતે મધ્યપ્રદેશ માટે સિંહ આપવા પડશે.તેમની આ ઓફર સામે ગુજરાત સરકારે કોઈ જ રસ દાખવ્યો નથી કેમકે સિંહ ગુજરાતીઓના જીવનપ્રમાલિ સાથે વણાઈ ગયેલું પ્રાણી છે અને ગુજરાતના લોકો પણ આવી ઓફર કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકે તેમ નથી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/17/100217202602_c-69-646196.html

No comments: