Saturday, February 13, 2010

વન્ય પ્રાણીના શિકારની ઘટનાથી તંત્ર એલર્ટ.

Saturday, Dec 19th, 2009, 2:53 am [IST]
danik bhaskar
Bhaskar News, Bhavnagar

ભાવનગર જિલ્લામાં વિચરતા સિંહના સંરક્ષણ માટે પ્રથમ વખત સ્ટાફ નિયમાનુસાર તાલિમબઘ્ધ કરાયો

સિંહની ઘટતી જતી સંખ્યા અને વન્ય પ્રાણીના શિકાર સામે રાજય સરકારે લાલ આંખ કરી છે જેના પગલે ભાવનગર જિલ્લામાં સિંહના વિચરણ પટ્ટી પર ફરજ બજાવતા વનખાતાના સ્ટાફને પ્રથમ વખત કાનૂની રીતે તાલીમ બદ્ધ કરી ઘટતા પગલા લેવાનું શરૂ કર્યું છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ગારિયાધાર પટ્ટી પર સિંહ વસવાટ કરે છે. ભૂતકાળમાં સિંહના શિકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. તો અમુક કેસોમાં કાનૂની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. પરંતુ અત્યારે જે સિંહ વિહાર કરે છે તે વિસ્તારમાં સ્ટાફે શિકારીઓ સામે એટલા જ સજાગ થવા ઉપરાંત સજ્જ થવું આવશ્યક બન્યું છે.

કેમ કે, ખુદ મુખ્યમંત્રી પણ સિંહના સંરંક્ષણનો મુદ્દો ઉઠાવી પગલા ભરવા સૂચનાઓ સંબંધિત ખાતાને આપી છે.
ભાવનગરમાં વન ખાતાના ફિલ્ડ પરના સ્ટાને પ્રથમ વખત કાનૂની રૂલ્સ અંગે માહિતી, માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા-દિલ્હીના નિષ્ણાંતોએ પાલીતાણા ખાત શુક્રવારે તાલીમ શરૂ કરી હતી.

આ અંગે મદદનિશ વન સંરંક્ષક કે.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ક્યારેય આવા પ્રકારની ટ્રેનિંગ અપાઈ નથી. આથી રાજ્ય સરકારે અગમચેતીના પગલારૂપે આયોજન ઘડ્યું છે અને તે મુજબ આજે તાલીમ અપાઈ રહી છે. સિંહના સંરંક્ષણ માટેના પગલા લેવાઈ રહ્યાં છે. સમયઅનુસાર સ્ટાફે પણ તાલિમબદ્ધ થવું આવશ્યક બન્યું છે.

સને ૨૦૦૫ બાદ સિંહની ગણતરી કરવા ગતિવિધી

ભાવનગર જિલ્લાનો અમુક વિસ્તાર સિંહના રહેણાંક માટે જાણીતો છે. સને ૨૦૦૫માં વન ખાતા દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી હતી. જે સમયે ૧૪ સિંહ વિહરતા હોવાનું જણાવાયું હતુ. આ ગણતરીને પાંચ વર્ષ પૂર્ણ થતાં ફરી વખત સિંહની ગણતરી કરવાની ગતિવિધી ચાલી રહી છે. સંભવિત મે-૨૦૧૦ સુધીમાં આ ગણતરી કરી નાંખવામાં આવશે. તેમ વનખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/19/091219025328_hunting_of_wild_animal.html

No comments: