Thursday, February 18, 2010

ગિરનારની રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રચારના અભાવે બહારના સ્પર્ધકો ઘટયા.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

બહારના રાજયોમાં ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા વિશે કોઈ પ્રચાર જ થતો નથી

જૂનાગઢ, તા.૧૭
આગામી તા.૨૧મીએ યોજાનારી ત્રીજી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં કુલ ૧૬૨ સ્પર્ધકો ભાગ લેશે. બહારના રાજયોમાંથી માત્ર ૬૧ એન્ટ્રી આવી છે. ેતમાંય દિવના ૨૬ બાદ કરતાં માત્ર ૩૫ બહારના સ્પર્ધકો થશે. રૃા ૨૦ લાખની ગ્રાંટ છતાં રમત ગમત વિભાગની લાપરવાહી અને પ્રચાર પ્રસારના અભાવે સ્પર્ધકો આવતા નથી.
ગયા વર્ષના બહારના ૧૩૦ સ્પર્ધકોની સામે આ વર્ષે માત્ર ૬૧ ; તેમાંય દિવ મારફતે ગુજરાતના ૨૬ સ્પર્ધકો
ભવનાથ તળેટીમાં ગિરનાર પર્વત પર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ૨૧મીએ સવારે ૭.૩૦ વાગે શરૃ તશે. રાજય સરકારની ગ્રાન્ટમાંથી વિજેતાઓને રૃા ૫ લાખનું ઈનામ અપાશે, જેમાં પ્રથમ વિજેતાને ૪૦ હજાર, બીજા ક્રમને રૃા ૨૫ હજાર, તૃતિયને ૨૫ હજાર, ચોથાક્રમને ૧૦ હજાર પાંચમાં ક્રમને રૃા ૫ હજાર અને છથી દસસુધીના ક્રમને રૃા ૧૦૦૦ એમ કુલ ૪૦ સ્પર્ધકોને ઈનામ અપાશે.

પ્રથમ સ્પર્ધકોને અગાઉના બે વર્ષમાં રૃા ૫૦ હજાર ઈનામ અપાતું હતું. તેમાં આ વર્ષે રૃા ૧૦ હજારનો ઘટાડો કરાયો છે. ઈનામોમાં ભ્રષ્ટાચાર થતો ન હોવાથી અધિકારીઓને રકમ વધારવામાં રસ નથી! બીજા ખર્ચાઓ દર વર્ષે વધતા જાય છે. ઈનામની રકમ વધે તો જ સ્પર્ધા માટે આકર્ષણ વધશે.
ગયા વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધામાં ૨૩૦ સ્પર્ધકો હતા. ચારેય વિભાગના ગુજરાતના ૨૫-૨૫ એમ કુલ ૧૦૦ સ્પર્ધકો હોય છે. એ બાદ કરતા ૧૩૦ સ્પર્ધકો બહારના હતા. આ વર્ષે ૧૬૨ સ્પર્ધકો છે, જેમાં ૧૦૧ લોકલ સ્પર્ધકો છે માત્ર ૬૧ સ્પર્ધકો બહારના છે. ૬૧માંય દિવના ૨૬ સ્પર્ધકો જોડાયા છે. દિવમાંથી આવતા સ્પર્ધકો હકિકતમાં સોરઠના જ સ્પર્ધકો હોય છે. બીજા રાજયના સ્પર્ધકો ૫થી વધુ ન હોવા જોઈએ પરંતુ સંખ્યા કરવા આ રીતે તંત્ર ખૂદ નિયમનો ભંગ કરી દિવ મારફતે સ્થાનિક સ્પર્ધકોને ઘુસાડી દે છે!

જૂનાગઢના રમત - ગમત તંત્ર અને સરકારના રમત - ગમત વિભાગે ગિરનાર સ્પર્ધા વિશે પ્રચાર જ નથી કર્યો. દેશમાં નહેરૃ યુવા કેન્દ્રના ૪૦૦ સેન્ટર છે. તેનો પણ સહકાર લેવામાં આવે અને એક કેન્દ્ર મારફતે માત્ર એક સ્પર્ધક આવે તો પણ ૪૦૦ સ્પર્ધક બહારના થઈ જાય. ગિરનાર સ્પર્ધા અંગે બીજા રાજયોમાં પ્રશિક્ષણ કે કેમ્પ કરવાનું રાજય સરકારને સુજયું જ નથી. રમત ગમત વિબાગના પાપે સમય જતાં સ્પર્ધકો ઘટશે તો સ્પર્ધા જ બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ સર્જાશે! ગાંધીનગર અને જૂનાગઢના રમત ગમત વિભાગ વચ્ચે પ્રચારની બાબતમાં કોઈ સંકલન જ નથી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56375/149/

No comments: