Tuesday, February 16, 2010

બે સિંહો વચ્ચે લોહીયાળ લડાઇ થઇ, એક ઘાયલ.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GS NEWS
સોમવાર, 15 ફેબ્રુઆરી 2010

ધારી પાસેના ઘોડાવાડી જંગલનો બનાવ
અમરેલી,
ધારીના ઘોડાવડી જંગલમાં બે સિંહો વચ્ચે જબરી લડાઇમાં ઘાયલ થયેલા એક સિંહને વનવિભાગે શોધીને પકડી પાડ્યો છે. તેને સારવાર માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. જ્યારે બીજા સિંહની શોધખોળ શરૂ કરાઇ છે.

સિંહણને પામવા અથવા વિસ્તારમાં કે પોતાના ગુ્રપમાં પ્રભુત્વ જમાવવા લડાઇ થયાનું અનુમાન

ધારી ગીર પૂર્વેના જસાપર રેન્જમાં ઘોડાવડી જંગલમાં એક ઇજાગ્રસ્ત સિંહ આંટા મારતો હોવાની બાતમીના પગલે ડી.એફ.ઓ. મુનિશ્વર રાજાની સુચનાથી આર.એફ.ઓ. મુલવણી સહિતના સ્ટાફે ગઇકાલે આ જંગલ વિસ્તારમાં પાંજરામાં મારણ મુકી ઘાયલ સિંહને પકડી પાડ્યો હતો. અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો.

ડી.એફ.ઓ. રાજાના જણાવ્યા પ્રમાણે આ જંગલમાં બન્ને સિંહો વચ્ચે ક્યાં કારણસર લોહીયાળ લડાઇ થઇ તે ચોક્કસ કહી શકાય નહીં. બંને વચ્ચે સિંહણને પામવા અથવા વિસ્તારમાં કે પોતાના ગુ્રપમાં પ્રભુત્વ જમાવવા લડાઇ થઇ હોવાનું અનુમાન લગાવી શકાય છે. એક સિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો છે. એટલે હવે બીજા સિંહની હાલત કેવી છે? શરૂ કરાઇ છે.

ઘાયલ સિંહને પાંજરે પુરીને સારવારમાં ખસેડાયો, બીજા સિંહની શોધખોળ

સાથો સાથ આરીના કુલડા ગામની સીમમાં ખેડૂતોને રંજાડનાર એક દિપડાને વનવિભાગે ગઇકાલે પકડી જસાધાર એનીમલ કેરમાં લઇ આવી જંગલમાં છોડી દેવાયો છે. તો કુબડા ગામે ગોવિંદપુરના રસ્તે સવારે રસ્તા ઉપરથી ચાલીને નિકળેલા એક સિંહને સ્કૂલના બાળકોને જોઇ સિંહ દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય એ છે કે વનપ્રાણીઓની તબીબી ચકાસણી કે સારવાર માટે જસાધાર અને સાસણ ખાતેના ડો. વાઢેર અને ડો. હિરપરાએ સ્વૈચ્છીક રાજીનામા આપી દીધા છે. તેમની હાલમાં વન્યપ્રાણીઓની સારવાર માટે વેટરનટી ડોકટરો ન હોય વન્યપ્રાણીનું આરોગ્ય જોખમાય તેમ છે તો સત્વરે વેટરનરી ડોકટર મુકવા પ્રકૃતિપ્રેમી હસમુખ દવેએ માંગણી કરી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56010/149/

No comments: