Saturday, February 20, 2010

વિકટોરીયા પાર્કની આગ પ્રકરણે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક.

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2010

ભાવનગર, શુક્રવાર
વિકટોરીયા પાર્કની આગની જવાળા હવે ગાંધીનગર સુધી પહોંચી છે અને ઉર્જા મંત્રીની હાજરીમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં અનામત જંગલના રક્ષણ માટે એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જો કે આ બેઠકમાં દોષિતો સામે પગલા લેવાની ચર્ચાથી સૌ દુર રહ્યા હતા એ બાબત ઘણી સુચક છે.
વધારાના વોચ ટાવર મુકાશે ઃ અંદરના ભાગે ૧૦ મીટર પહોળો ફાયર બેલ્ટ બનાવવામાં આવશે

ભાવનગર શહેરની મધ્યમાં શહેરના નગર ઉપવન સમાન વિકટોરીયાપાર્કના અનામત જંગલ વિસ્તારમાં તાજેતરમાં અચાનક લાગેલી આગને પગલે આ આરક્ષિત જંગલ માટે ખાસ એકશન પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વન રાજ્યમંત્રીએ પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વન મંત્રી,પ્રભારી મંત્રી, સૌરભભાઈ પટેલ અને વન રાજ્યમંત્રી રાણાએ યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આરક્ષિત જંગલ માટે ખાસ એકશન પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

ઉર્જા મંત્રી તથા વન મંત્રીએ વન વિભાગ અને રાજ્ય સરકારે વિકટોરીયા પાર્ક માટે જે એકશન પ્લાન ઘડયો છે, તેની વિગતો આપતા જણાવ્યું હતું કે ૨૦૨ હેકટર વિસ્તારમાંપથરાયેલાઆ પાર્ક તથા ૧૦ હેકટર વિસ્તારમાં પથરાયેલ યાયાવર પક્ષીઓના રહેઠાંણ સમા કૃષ્ણકુંજ તળાવ ધરાવતાં આ વિકટોરીયાપાર્ક જંગલ વિસ્તારમાં બાકી રહેલી પાકી દિવાલ બનાવવાનુંકાર્ય આગામી માર્ચ ૨૦૧૦માં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે ઉપરાંતપ્રજાજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પ્રેરિત કરવા જન જાગૃતિ અભિયાનને વેગ આપવા સાથે ફાયર ફાઈટીંગના અદ્યતન સાધનો વસાવીને તેમજ ફોરેસ્ટ ફાયર મેનેજમેન્ટ મેપ અંગેનો વર્કશોપ યોજીને આગની ઘટના પુનઃ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવશે.

વિકટોરીયા પાર્કમાં વધારાના વોચ ટાવર બનાવવા તેમજ પ્રતિબંધિત ઝોનના સૂચિત નિશાનોવાળા બોર્ડ મુકવા તેમજ પાર્કની દિવાલની અંદરના ભાગે ૧૦ મીટર પહોળો ફાયર બેલ્ટ અને ઘનિષ્ઠ વિસ્તારમાં જુદા જુદા ભાગો કરીે ૮થી૧૦ મીટર પહોળાફાર બેલ્ટ બનાવવામાં આવશે.પાર્કમાં વોકિંગ માટે આવનારા નાગરિકો માટે ટાઈમ શિડયુલ બનાવવો તેમજરુટ નક્કી કરવો અને વોર્ટર ચેનલ ટ્રાયમોટને સજીવન કરવું જેવા મહત્વના નિર્ણયો પણ આ એકશન પ્લાનમાં સમાવવામાં આવ્યા છે.
બંને મંત્રીઓએ ભવિષ્યમાં આ આગની દુર્ઘટનાના બને એ માટે જન સહયોગ અને જનજાગૃતિની આવશ્યકતાપર ભાર મુકયો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાવનગર જિલ્લા કલેકટર, નાયબ વન સંરક્ષક તેમજ જુનાગઢ રેન્જના વન સંરક્ષક સહિત ઉચ્ચ અધિકારીપદાધિકારીઓએ ઉપસ્થિત રહી સુચનો કર્યા હતા, અનેચર્ચામાં ભાગ લીધો હતો.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56685/153/

No comments: