Saturday, February 20, 2010

વિક્ટોરીયા પાર્ક પ્રકરણે મુખ્યમંત્રી સમક્ષ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ જશે.

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2010

ભાવનગર,શુક્રવાર
વિકેટોરીયાપાર્કમાં લગાડવામાં આવેલી આગના પ્રકરણે ઘોઘાગેઇટમાં મળેલી જાહેર સભામાં વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આગની ઘટનાની ઝાટકણી કાઢી દોષિતો સામે સખ્ત પગલા લેવાની માંગણી કરી હતી.
વિક્ટોરીયા પાર્ક આગ પ્રકરણે નક્કર પગલા લેવાય તેવી વિધાનસભા વિપક્ષ નેતાની માંગ

વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંગ ગોહિલે જાહેર સભામાં કહ્યું હતું કે સમગ્ર અભિયાનમાં તેઓ સાથે છે.અને બોરતળાવ, તથા સુંદરાવાસ જમીનના અનુસંધાને રિવ્યુ પીટીશન દાખલ કરવી જોઇએ. એમ્પાયર કમિટિ સમક્ષ કરેલી અરજીમાં પરિણામ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર ખાલી ભાષણોથી નહિ ચાલે પરંતુ નક્કર ઠોસ કાર્યક્રમ અને પગલા લેવાયતે જરૃરી છે. અને પ્રથમ જેની જવાદારી છે.તેને પ્રથમ ફરજ નિભાવવી જોઇએ.જરૃર પડયે મુખ્ય મંત્રી પાસે સર્વપક્ષીય પ્રતિનિધિત્વે રજૂઆત કરવી જોઇએ. જળ. જંગલ, જીવ, જમીન, બચાવ સમિતિ દ્વારા આયોજીત વિકટોરીયા પાર્ક આગ પ્રકરણે મળેલી જાહેર સભામાં મોડેથી શક્તિસિંહ ગોહિલે એન્ટ્રી કરતા સભામાં જીવંતતા આવી હતી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56683/153/

No comments: