Thursday, February 18, 2010

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા ૨૧ ફેબ્રુ.ના યોજાશે.

Thursday, Feb 18th, 2010, 3:03 am [IST]

danik bhaskar
Bhaskar News, Junagadh

જૂનાગઢનાં ગરવા ગીરનારની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા આગામી તા.૨૨ ફેબ્રુના યોજાનાર છે. ત્રીજી વખત યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૧૫૩ સ્પર્ધકોની સંખ્યા થઈ છે. દસ રાજયોના ૧૫૩ સ્પર્ધકોમાંથી ૧૦૧ સ્પર્ધકો માત્ર રાજયના છે. ગીરનાર સ્પર્ધામાં વધુ સ્પર્ધકો ન થવા પાછળ તંત્રની ઉદાસીનતા કારણભુત હોવાની ચર્ચા થઈ રહી છે.

જૂનાગઢ યાત્રાધામ અને પ્રવાસનધામ તરીકે પણ ખાસયિત ધરાવે છે. ભારતભરનાં ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓની સાહસકિતાને આહવાન આપવા ગિરનાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા તરીકેની મંજુરી આપવામાં આવી છે. જેના કારણે આ સ્પર્ધાને સરકારે રાજયકક્ષાની અને રાષ્ટ્રકક્ષાની તારીખો નિર્ધારિત કરી છે. જેમાં રાજયકક્ષાની સ્પર્ધા દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ રવિવારે તથા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે યોજવામાં આવે છે.

આ વર્ષે ફેબ્રુઆરીનાં પ્રથમ રવિવાર એટલે તા.૨૧ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધા યોજાશે. ગત વર્ષથી કલેકટર અને ડી.આઈ.ઓ.ના પ્રયત્નથી સ્પર્ધકોના આવવા જવાના ટાઈમીંગની નોંધ કોમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવે છે. પ્રત્યેક પગથીયા પરથી ચડતા-ઉતરતા સ્પર્ધકોને દર્શકો જોઈ શકે તે માટે ૨૨ ડીજીટલ કેમેરાઓ મુકવામાં આવશે. રાષ્ટ્રીયકક્ષાની ગીરનાર સ્પર્ધામાં કુલ ૧૫૩ સ્પર્ધકો જોડાયા છે.

જેમાંથી ૧૦૧ સ્પર્ધકો માત્ર ગુજરાત રાજયનાં જ છે. રાજય સરકારની ગ્રાન્ટમાંથી પ્રથમ વિજેતાને ૪૦ હજારનો રોકડ, દ્રિતીયને ૨૫ હજાર તેમજ તૃતિયને ૧૫ હજાર, ચોથા ક્રમને દસ તથા પાંચમાને પાંચ અને ૬ થી ૧૦ને એક હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત સ્મૃતિ ચિન્હો, પ્રમાણપત્રો અને ભોજનની પણ વ્યવસ્થા કરાશે. જયારે નટુભાઈ ચોકસી તરફથી વિજેતા સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ અપાશે. રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધામાં સ્પર્ધકોની સંખ્યા ન થવા પાછળ તંત્રની ઉદાસીનતા કારણભુત હોવાની ચર્ચા થઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/18/100218012106_girnar_competition_in_february_national_level.html

No comments: